સ્નેહમિલન,રાસોત્સવ મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું દેદીપ્યમાન આયોજન
મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા-લેવા પરિવારના બંધુ-ભગીનીઓનું ગ્રૂપ શ્રી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સમાજમાં એકતા અને એકજુટતા આવે હું નહિ પણ આપણે ની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન,રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહ નું અદકેરું દેદીપ્યમાન આયોજન દશેરાના સપરમાં દિવસે પાટીદાર નવરાત્રી મહોત્સવ,રામેશ્વર પાર્ટી પ્લોટ રવાપર ઘુનડા રોડ,મોરબી ખાતે તા.05.10.2022 ના રોજ સાંજે 4.30 વાગ્યાથી પાટીદાર સમાજની રાજકીય, સામાંજીક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતમાં યોજાશે જેમાં તેજસ્વી તારલાઓને, તાજેતરમાં નિવૃત થયેલ શિક્ષકો તેમજ જિલ્લા અને રાજ્યકક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ પાટીદાર કર્મવિરોનું સન્માન કરવામાં આવશે અને રાશોત્સવનું પણ આયોજન કરવામાં આવેલ છે એમ સંદીપભાઈ આદ્રોજા અને દિનેશભાઈ વડસોલાની યાદીમાં જણાવવામાં આવે છે.
મોરબીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિવિધ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા ની થીમ અન્વયે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને ‘એક પેડ મા કે નામ’ અન્વયે રોપાઓનું વાવેતર પણ કરાયું હતું.
મોરબીમાં વિવિધ શાળાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા સંદર્ભે ચિત્ર...
આવતી કાલ તા. ૨૨/૦૯/૨૦૨૪ ને રવિવારથી મોરબી બાયપાસ રોડ પર કાધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં જયમાં આશાપુરા સેવા કેમ્પનો પ્રારંભ થશે.
આ કેમ્પમાં મેડીકલને લગતી તમામ સુવિધા, અલ્પાહાર સાથે ચા-પાણીની સગવડ, રાત્રી રોકાણની સુવિધા, પદયાત્રીને સ્નાનકાર્ય માટે યોગ્ય વ્યવ્સ્થા, અત્યાધુનિક મસાજ, કસરતના સાધનો સાથે અનુભવી મેડીકલ ટીમ દ્વારા તમામ પ્રકારની સેવા...
શિક્ષકોની તાલીમ, એકમ કસોટી સ્વચ્છતા અભિયાન,vમતદાર યાદી સુધારણા, કલા ઉત્સવ જેવા કાર્યક્રમોને કારણે અભ્યાસક્રમ પૂરો થયો ન હોવાથી PDS+ મોબાઈલ એપ્લિકેશનમાં e kycની કામગીરી શિક્ષકોને ન સોંપવા રજુઆત કરાઈ.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઈ- કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે, વંદે ગુજરાત ચેનલ - ૧ પર...