મોરબી: આશા વર્કર તથા ફેસીલીએટર બહેનોના પ્રશ્નો બાબતે અગાઉ અનેક વખત રજુઆત કરાઈ છે. પરંતુ પ્રશ્નો સમજયા વિના સરકાર દ્વારા અશા વર્કર બાબતે જાહેરાત કરાઈ છે. જેમાં રૂ.૫૦૦૦ આપવાની જાહેરાત કરાઈ છે. પરંતુ આ વધારો ઈન્સેન્ટીવ છે કે પગાર છે ? તેમજ જો પગાર હોય તો પગાર ઉપરાંત હાલમા મળતા ઈન્સેન્ટીવ ચાલુ રહેશે કે કેમ ? તેવી કોઈ જ સ્પષ્ટતા નથી. હજુ લધુતમ વેતન કરતા આ વધારો ખુબજ ઓછો છે.