મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં કોરોના દિવંગતોના મોક્ષાર્થે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરીવાર દ્વારા તા ૧૨ થી તા . ૧૮ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે ભાગવત સપ્તાહની ગત રોજ પોથીયાત્રા યોજવામાં આવી હતી જે પોથીયાત્રા ઉમા ટાઉનશીપ મોરબી ૨ ખાતે આવેલા ઉમિયા માતાજી મંદિર થી શુભારંભકરવામાં આવ્યો હતો જે પોથીયાત્રા શહેરના સર્કીટ હાઉસ , મહારાણા પ્રતાપ સર્કલ , વાઘજી ઠાકોર પ્રતિમા , વીસી ફાટક , શક્તિ ચોક , નગર દરવાજા ચોક , શાક માર્કેટ ચોક , વસંત પ્લોટ , રામ ચોક , જયદીપ કંપની ચોક , સુપર માર્કેટ , સરદાર પટેલ પ્રતિમા , બાપા સીતારામ ચોક , સ્વાગત હોલ , રવાપર ચોકડી , અવની ચોકડી , ઉમિયા સર્કલ , ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારમાં ફરીને શક્તિ માતાજી મંદિર શકત શનાળા થઈને પટેલ સમાજ વાડી પહોંચી હતી જે પોથીયાત્રાનું સામાકાંઠા , નગર દરવાજા ચોક , વસંત પ્લોટ , બાપા સીતારામ ચોક સહિતના વિસ્તારમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પોથી યાત્રામાં ઘોડા,કાર,બાઈક,રથ,બસ,ટ્રેકટરના મોટા કાફલા સાથે નીકળી હતી જેમનું મોરબીના વિવિધ સામાજિક,રાજકીય અને શહેરીજનો દ્વારા ફૂલ,હાર,ઢોલ,ડી.જે ના સથવારે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આ પોથીયાત્રા સનાળા પટેલ સમાજ વાડી ખાતે પૂર્ણ થઈ હતી આ પોથી યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.
મોરબી જિલ્લામાં આજરોજ વાંકાનેર ખાતે વાંકાનેર તાલુકા હેલ્થ કચેરી, GCRI - અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર - રાજકોટના સંયુક્ત ઉપક્રમે કેન્સર અંગેના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્સર જાગૃતિ માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કેન્સર અંગેના જુદા...
એકી તારીખે રોડની ડાબી બાજુએ અને બેકી તારીખે રોડની જમણી બાજુએ પાર્કિંગ કરવાનું રહેશે; ૧૫ નવેમ્બર સુધી જાહેરનામું અમલી
મોરબીની સુધારા વાળી શેરી સરદાર રોડ માં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગ ઉપરાંત બે બેંક સમાજવાડી સ્કૂલ અને જથ્થાબંધ સામાનના વિક્રેતા આવેલા હોવાથી નાના મોટા વાહનો રોડની બંને બાજુ અવ્યવસ્થિત પાર્કિંગ...
અગાઉ અધિકારીઓની મુલાકાતમાં મળેલા પ્રશ્નોમાંથી ૧૫૦નો હકારાત્મક નિકાલ : અન્ય પર કાર્યવાહી પ્રગતિ હેઠળ
આજે ઉચ્ચ અધિકારીઓ મોરબી જિલ્લાના ૯ ગામડાઓની મુલાકાત લઈ લોકોને મળતી સવલતો અને તેમની સમસ્યાઓની સમીક્ષા કરશે
લોકોની સુખ સુવિધા વધારવા અને ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓની નિયમિતતા સુનિશ્ચિત કરવા કલેક્ટર કે.બી. ઝવેરીનો આદેશ
મોરબી જિલ્લામાં જરૂરી સેવાઓ અને સવલતોથી...