મોરબીના મહેન્દ્ર નગર પાસે આવેલ સુ પ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે સંત શિરોમણી બજરંગ દાસ બાપાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે યજ્ઞ, મહાપ્રસાદ, ધુન-ભજન સહિતના કાર્યકમો યોજાયા
મોરબીના મહેન્દ્રનગર ધાયડી પાસે ધુટુ રોડ પર સંત શિરોમણી બજરંગદાસ બાપાની આજથી ૧૬ વર્ષ પહેલા ભક્તોએ મઢુલી બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.અને સેવા પૂજા કરતા હતા.પરંતુ તાજેતરમાં સરકારશ્રી દ્વારા અહી ઓવરબ્રિજ મંજુર કરતા આ મઢુલી તુટમાં જતી હતી.જેથી સૌ ભકતજનોએ સરકારની વાત સ્વીકારી સ્વચેછાએ બાપાની મૂર્તિ અને સ્થળ પધરાવવા સહેમત થતાં અને ત્યાં જગ્યા ખુલી કરી આપવા નિર્ણય લઈ સુ પ્રસિધ્ધ રામધન આશ્રમ ના મહંત ભાવેશ્વરી માતાજીને મૂતિ રામધન આશ્રમમાં પધરાવવા વાત મુકતા માતાજીએ આ વાત સહર્ષ વધાવી લીધી હતી. અને સાત દિવસ માં રામધન આશ્રમ ખાતે બાપાની મઢુલીનું નિમાર્ણ થયું હતું. અને સંત શિરોમણી બજરંગ દાસ બાપાની મૂતિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે યજ્ઞ,સંતોનું સન્માન ,મહાપ્રસાદ અને રાત્રે સંતવાણી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સંત ભૂપતબાપુ કાગદડી આશ્રમ, રતનેશ્વરીબેન, સહિતના સંતો -મહંત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમને સફળ બનાવવા દેવકરણભાઈ કરશનભાઈ, ભુદરભાઈ,પોપટભાઈ,ઓડીયાસાહેબ,તેમજ ધુનમંડળના ત્રિભોવનભાઈ,રામજીભાઈ,ચુનીભાઈ, રૂગનાથભાઈ, દિલીપભાઈ, મહેશ મહારાજ, સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.
રોજગાર વિનિમય કચેરી - મોરબી દ્વારા તા. ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. માળીયા- મિયાણા, ચાચાવદરડા-પીપળીયા ચોકડી, માળીયા-મિયાણા હાઈવે, તા. માળીયા ખાતે તાલુકાકક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.
ખાનગી ક્ષેત્રે નોકરી માટે ઇચ્છુક, નોન...
મોરબી શહેરમાં દારૂની હેરાફેરી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં -૧૧મા જોન્સનગરના ઢાળીયા પાસે વિદેશી દારૂની ૧૧ બોટલ કિં રૂ. ૭૭૦૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા...