માળીયા મી.પોલીસ ની પ્રશંસનીય કામગીરી એક મહિનામાં ત્રીજો મોટો જથ્થો દારૂનો ઝડપી લીધો
પોલીસ મહાનીરિક્ષક રાજકોટ રેન્જ રાજકોટ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન / જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહી . જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ તથા ઇ.ચા સી.પી.આઇ. મોરબી વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના કાર્યરત હતો તે દરમ્યાન પો.હેડ.કોન્સ વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ ચુડાસમા તથા દશરથસિંહ જાડેજાને સંયુકત રીતે બાતમી મળેલ કે અમદાવાદ તરફથી માળીયા મિ . તરફ આવતી અશોક લેલન્ડ ટ્રકમાં પી.ઓ.પીની ટુટેલ ફુટેલ મુર્તીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો કચ્છ તરફ લઈ જવામાં આવે છે ત્યારે માળીયા મી પોલીસે બાતમીના આધારે ટ્રક ની તલાસી લેતાં પીપોપીની મૂર્તિ ની આડ માં વિદેશી દારૂ ની હેરાફેરી કરવાનો બૂટલેગરો દ્વારા નવા કિમિયાને નો પર્દાફાશ કરી માળીયા મી પોલીસે દારૂની હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે .
આરોપીના નામ સરનામા – ૦૧ ગોમારામ બગતારામ જાખડ જાતે . જાટ ઉ.વ. ૨૯ ધંધો.ડ્રાઇવીંગ રહે.સનાવળા જાખડો કી ધાણી તા.જી.બાડમેર રાજસ્થાન ૦૨ ટ્રક આપનાર : – સ્વરૂપ પરીહાર રહે.કલ્યાણપુર જી.બાડમેર રાજસ્થાન ૦૩ માલ મોકલનાર લક્ષ્મીનારાયણ
તેમજ તપાસ માં જે નામો ખૂલે તે
કબ્જે કરેલ મુદામાલ –
( ૧) રોયલ સ્ટગ રીજર્વ વ્હીસ્કીની બોટલો નંગ -૧૬૨૦ કિ.રૂ .૬,૪૮,૦૦૦ / ( ૨ ) અશોક લેલેન્ડ કંપનીની ટ્રક નંબર- GJ – 06 – AZ – 6377 કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / ( ૩ ) મેકડોવેલ્સ કલાસીક બ્લેન્ડ વ્હીસ્કીની ઓરીજનલ બોટલો નંગ -૩૧૩૨ કિ.રૂ .૧૧,૭૪,૫૦૦ / ( ૪ ) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન -૦૧ કિ.રૂ .૫૦૦૦ / ( ૫ ) રોકડા રૂપીયા -૩૦૦૦ / – તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૮,૩૦,૫૦૦ / – નો મુદામાલ કબ્જે કરી ધોરણરની કાર્યવાહી માળીયા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે
કામગીરી કરનાર અધિકારી બી.ડી.જાડેજા તથા પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ વી ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ બાલાસરા, પો.કોન્સ મહેન્દ્રસિંહ ચુડાસમા તથા દશરથસિંહ જાડેજા, વનરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ સોલંકી તથા દેવેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરેલ છે
હમણાં ગણેશ ઉત્સવ દરમ્યાન કલેક્ટર દ્વારા વિસર્જન ને લઈને ચોક્કસ જાહેરનામું બહાર પાડેલું તેમ છતાં અમુક આયોજકો દ્વારા પોતાની મનમાની ચલાવી મરજી મુજબ મચ્છુ-૩ માંજ વિસર્જન કર્યું જેથી મોરબી પોલીસ દ્વારા આયોજકો વિરુદ્ધ જાહેરનામા ભંગ ની ફરિયાદ દાખલ કરાય
આવનારા દિવસોમાં નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે જેમાં જગદંબાની આરાધના ભક્તિનું...
મોરબીમાં વાંકાનેરના તાલુકામાં કાનપર રાતડીયા તથા મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર સમારકામ કરવામાં આવ્યું છે.
વરસાદ બાદ સમગ્ર ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ થી માંડીને ગ્રામ્ય વિસ્તારના નાના નાના રોડ પર જ્યાં નુકસાન થયું હોય તો સમારકામ કરવા સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને મોરબીમાં પણ માર્ગોનું સમારકામ કરવામાં...
મોરબી: આગામી તારીખ 29/09/2024 ના રોજ શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ નિર્ધારિત સમયે યોજાશે.
તેથી લોહાણા સમાજના સર્વે વિદ્યાર્થી મિત્રો તથા જ્ઞાતિબંધુઓએ આ કાર્યક્રમમાં સમયસર હાજરી આપવા રઘુવંશી યુવક મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.
તેમજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન પાસેના રોડનું નિર્માણ કાર્ય ચાલુ હોય...