Tuesday, September 24, 2024

ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી ઉભરાય ને પહોંચીયું શહેર ભાજય કાર્યલય : રમેશ રબારી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેર ની ભાજપ શાસિત નગરપાલિકા ની અણઆવડત થી પ્રજા પરેશાન છે અવાર નવાર પ્રજા ટોળા સ્વરૂપે પાલિકા માં પ્રાથમિક સુવિઘા મળે તે માટે રજૂઆત કરે છે પણ આતો ખાલી પાલિકા એ. ટી એમ મશીન હોય તેમ અઘિકારી પદાધિકારી એ ટી એમ મશીન નો ઉપયોગ કરવા આવે છે તેવી લોકમુખે ચર્ચા ચાલે છે.

આજ મોરબી ના પોસ વિસ્તાર કહેવાય રવાપર રોડ પર આવેલ લોકો નું આસ્થા નું રામદેવપીર નું મંદિર છે ત્યાં સેકડો લોકો દર્શન કરવા આવે છે ત્યાં છેલા ત્રણ દિવસ થી ભૂગર્ભ ગટર ના પાણી છલકાય છે ત્યાં ભાજપ ના ચૂંટાયેલ સદસ્ય પણ અવાર નવાર એ મંદિર પાસે થી રવાપર રોડ પર નીકળે છે પણ આ ઉભરાતી ગટરના પાણી તેમને નરી આંખે દેખાતા નો હોય તેમ લાગે છે

આજ લોકો મંદિરે દર્શન કરવા પણ જ્ય સકતા નથી આં ભૂગર્ભ ગટર ઉભરાઈ ને રોડ રસ્તા ઉપર ગંદા પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકો તો ખરા પણ વેપાર કરતા વેપારી પણ પરેશાન છે આં ઉભરાતી ગટરના પાણી મોરબી શહેર ભાજપ ના કાર્યલય પાસે રેલા સ્વરૂપે પહોંચી ગયા છે હું ભાજપ શાસિત નગરપાલિકા ને પૂછવા માંગુ છું કે સુ આં ભૂગર્ભ ગટર આર.એન બી.માં આવે છે જે નગરપાલિકા માં આવે છે તે સત્વરે જણાવે. મોરબી નગરપાલિકા આં ઉભરતા ભૂગર્ભ ગટર ના પાણી માટે તાત્કાલિક અસરથી સાફ સફાઇ કરાવે લોકો ને પડતી મુશ્કેલી દૂર કરીને પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માટે આગળ આવે તેવી લોકો ની લાગણી અને માંગી છે તો પ્રજા લક્ષી કામગીરી કરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે લોકો કહે છે ભાજપ શાસિત નગર પાલિકામાં લોકો ને પડતી મુશ્કેલી દૂર કરવા માં હાલ પદાધિકારી સાવ નિષ્ફળ ગયેલ છે ગમે ત્યારે કોય પણ રોડ રસ્તા કે ભૂગર્ભ ગટર માટે કહી દે છે કે આ અમારા માં નથી આવતું આં તો આર એન બી માં આવે છે તેમ કહી કામ ના કરવા નું બહાનું બનાવી લે છે.

વાહ રે વાહ ભાજપ શાસિત નગરપાલિકા મંદિર માં જતાં લોકો ને ઉભરાતી ગટરના પાણી માં થય ને જવા નું ? આ ગટર ઉભરાઈ રહી છે તે તાત્કાલિક અસરથી કામગીરી કરી લોકો ને સુવિઘા આપો તેવી માંગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી રજૂઆત કરી પ્રેસ યાદી જણાવે છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર