મોરબીના ઊંચી માંડલ નજીક પસાર થતી નર્મદા કેનાલ માંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે મૃતદેહને પીએમ અર્થે મોકલી પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઊંચી માંડલ તળાવીયા સનાલા ગામની સીમમાં આવેલ એક સિરામિક ફેક્ટરી સામે નીકળતી નર્મદા કેનાલ માંથી મધ્યપ્રદેશના રહેવાસી ગનસાભાઈ ઠાકુરનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે આધેડના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે પોલીસ દ્વારા નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો. કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે.
ત્યારે મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેરની...
મોરબી શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં એક શખ્સે વૃદ્ધને ખોટી ઓળખ આપી પોતે સરકારી અધિકારી હોવાની ઓળખ આપી વૃદ્ધને દુકાનનો દસ્તાવેજ કરી આપવાની લાલચ આપી સાત લાખ જેવા રૂપીયા પડાવી છેતરપિંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે
મળતી માહિતી...
મોરબી: મોરબીના લાલપર ગામના યુવકને આરોપીએ વોટ્સએપ તથા ટેલીગ્રામમા DCX કંપનીનુ નામ આપી ઇન્વેસ્ટમેન્ટના નામે વધું વળતર આપવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બેન્ક એકાઉન્ટ ખાતામાં નાણાં મેળવી યુવક પાસેથી રૂ. ૩૬ ,૧૧,૦૫૦ પડાવી યુવકે સાથે છેતરપિંડી કરી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ...