Monday, September 30, 2024

વાંકાનેર મુકામે યોજાનાર મહાસંમેલન રદ કરાવવા રાજકીય કાવાદાવા શરૂ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સંમેલન માટે વાંકાનેર નગરપાલીકા ગ્રાઉન્ડ ની મળેલ મંજુરી છેલ્લી ઘડીએ તંત્ર દ્વારા રદ કરાતા મહાસંમેલન ના સ્થળ મા ફેરફાર કરાયો


લોહાણા મહિલા અગ્રણી શ્રીમતિ જયશ્રીબેન સેજપાલ સંચાલિત વાંકાનેર નગરપાલીકા ને સુપરસીડ કરી રઘુવંશી સમાજ નુ રાજકીય પતન કરવાનો કારસો પક્ષ ના જ અમુક નેતાઓ દ્વારા ઘડી કાઢવામાં આવ્યો હોય ત્યારે રઘુવંશી સમાજ ને થતા અન્યાય ના વિરોધ મા લોહાણા સમાજ અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા શ્રીમતિ જયશ્રીબેન સેજપાલ ના સમર્થન મા તા.૨૬-૬-૨૦૨૨ રવિવાર સાંજે ૭ઃ૩૦ કલાકે મહાસંમેલન વાંકાનેર મુકામે બોલાવવા મા આવ્યુ છે ત્યારે તે સંમેલન માટે વાંકાનેર નગરપાલીકા ના ગ્રાઉન્ડ ની પૂર્વ મંજુરી મળી ગયેલ હતી પરંતુ રાજકીય વિરોધીઓ સતા નો દુરઉપયોગ કરી તંત્ર ને પોતાની કટપુતડી બનાવી છેલ્લી ઘડીએ મંજુરી રદ કરાવી સંમેલન રદ કરાવવા ની નિષ્ફળ ચેષ્ઠા કરી છે પરંતુ મહાસંમેલન તા.૨૬-૬ રવિવાર સાંજે ૭ઃ૩૦ કલાકે જ યોજાશે. જીતુભાઈ સોમાણી તથા સમસ્ત લોહાણા સમાજ ની તાકાત જોઈ હાર ભાળી ગયેલ વિરોધીઓને પાઠ ભણાવવા તા.૨૬-૬ રવિવાર સાંજે ૭ઃ૩૦ કલાકે જ સંમેલન યોજાશે.

હવે આ મહાસંમેલન “કિરણ સિરામીક, નિર્મલા સ્કુલ થી આગળ, જડેશ્વર રોડ, વાંકાનેર” ખાતે તા.૨૬-૬-૨૦૨૨ રવિવાર ના રોજ સાંજે ૭ઃ૩૦ કલાકે જ યોજાશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર