Monday, September 30, 2024

બગસરા પ્રાથમિક શાળાના જર્જરિત રસોડાનું સમારકામ કરવા રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બગસરા પ્રાથમિક શાળા ના આચાર્ય દ્વારા માળીયા મામલતદાર ને અરજી કરવામાં આવી હતી કે શાળા માં આવેલ મધ્યાન ભોજન ના રસોડા ની હાલત ખૂબ ખરાબ હોય ઉપરથી પોપડા પડતા હોય ત્યારે રસોડામાં કામ કરવું ખૂબ મુશ્કેલી ભર્યું છે ઉપરાંત ઉપરથી છત તેમજ દિવાલ પડવાનો પણ ભય છે

ત્યારે વિદ્યાર્થીઓને પણ નુકસાન થવાની શક્યતા છે. હાલ વર્ષાઋતુમાં રસોડામાં ઉપરથી પાણી ટપકે છે ત્યારે કોઈપણ સંજોગોમાં ત્યાં કામ થઈ શકે તેવી સ્થિતિ નથી ત્યારે આચાર્ય દ્વારા માળિયા મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

પ્રાથમિક શાળાના આચાર્ય ની રજૂઆત ને ધ્યાને રાખી માળીયા મામલતદાર દ્વારા કલેકટર ઓફિસ ખાતે બગસરા પ્રાથમિક શાળા માટે મધ્યાહન ભોજન નવું બનાવવા માટે દરખાસ્ત કરી છે. જર્જરિત રૂમ ના કારણે કોઈ અકસ્માત ના બને તે માટે ત્વરિત કામગીરી કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર