ગઈકાલે મોરબી ના પુલ પડે આવેલ મહેન્દ્ર ડ્રાઇવ રોડ પરથી યસ રમેશભાઈ ચૌહાણ નામના યુવાને હતમહત્યા કરવાના ઇરાદે નીચે જંપલાવ્યું હતું. ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હોય ત્યારે સારવાર દરમિયાન યુવક નું મોત નીપજ્યું છે.
ગઇ કાલે મોરબીના લાયન્સનગરમાં રહેતા યસ રમેશભાઈ ચૌહાણ નામના યુવાને અગમ્ય કારણસર આત્મહત્યા કરવામાં ઇરાદે પુલ પાસે આવેલ મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર થી જંપલવ્યું હતું. જેમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેની સારવાર કરવામાં આવી હતી. બાદ આજ વહેલી સવારના અરસામાં યુવાનને દમ તોડી દીધો હતો. ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું. પરિવારમાં હાલ શોકનો માહોલ.