લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે દરરોજ સાંજે ૫ થી ૭ વિતરણ થશે
મોરબી : ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૨૦-૬-૨૦૨૨ સોમવાર થી દરરોજ સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે થી કરવા મા આવશે.
પ્રવર્તમાન વર્ષે લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ સ્વ. અમૃતલાલ લીલાધરભાઈ કોટક પરિવાર, સ્વ.પૂનમચંદભાઈ લીલાધર ભાઈ કોટક પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી. પોપટ પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કન્સટ્રક્શન) પરિવાર, પ્રતાપભાઈ વાલજીભાઈ ચગ પરિવાર, સ્વ.મનુભાઈ લીલાધરભાઈ ઠક્કર (ભાણાભાઈ દલાલ) પરિવાર, જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી (આમરણ વાળા) પરિવાર ના સહયોગ થી અર્પણ કરવા મા આવશે. જેમા વિદ્યાર્થી ની માર્કશીટ ની ઝેરોક્ષ સાથે રાખવા ની રહેશે તેમ સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
નોટબુક વિતરણ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, જે.આઈ.પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, જીતુભાઈ પુજારા, નિર્મિતભાઈ કક્કડ, હસુભાઈ પુજારા, નિકુંજભાઈ કોટક, અજયભાઈ કોટક, ચુનીભાઈ કોટક, હીરાલાલ કોટક, ઓજસભાઈ રવેશિયા, વિજયભાઈ અનડકટ સહીત ના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
મોરબી જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.૨૩/૦૪/૨૦૨૫ બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે અને તા.૨૪/૦૪/ ૨૦૨૫ ગુરુવારના રોજ મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે સવારે ૯-૩૦ વાગ્યાથી...
મોરબી મહાનગરપાલિકા ખાતે વેરો ભરવા માટે આવતા શહેરીજનો સર્વરના ધાંધીયાના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે. પોતાનો કિંમતી સમય કાઢીને વેરો ભરવા આવતા લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્ય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ઘણા દિવસોથી વેરા વસૂલાત કામગીરી કરવામાં આવી રહી છે. અને વેરો ભરવાનો બાકી હોય તેવા આસામીઓને વેરો ભરી...