લોકોને ઘરબેઠા લાભ મળે તે માટે આ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે
સરકારના આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ નો આઠમો તબ્બકો જેમાં ચૌદ ગામોનો સમાવેશ થયો છે. આ બાબતે વાત કરીએ તો ગ્રામ્ય પ્રજાને તાલુકા મથકે જવું ન પડે અને ઘરબેઠા સરકારી સેવાઓનો લાભ મળે તેવા હેતુસર આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થયું છે. આ સેવાસેતુ કાર્યક્રમ માં મોરબીના પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા, મામલતદાર ડી.જે. જાડેજા, ટી.ડી.ઓ. દીપાબેન કોટક, ગોરખીજડીયા ના સરપંચ ગૌતમભાઈ મોરડીયા ,માનસર ના સરપંચ જીતુભાઈ સહિત સોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કાર્યક્રમ માં તલાટી મંડળ સહિત વહીવટી તંત્ર ની હાજરી હતી.
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ વેજીટેબલ રોડ પર ઝઘડો કરી યુવક એક શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો જ્યા સારવારમાં યુવકનું મોત નિપજતા બનાવ હત્યામા પલટાયો હતો. તેમજ એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ શામજીભાઈ પોપટભાઈ ચાવડા (ઉંમર 38) રહે ધરમપુર (મૃતક) તથા જગદીશભાઈ...
મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હળવદ તાલુકાના ચરાડવા ખાતે લોકોને નોન વોવેન બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા એ આપણા સંસ્કાર છે અને તે આપણી રોજીંદી ટેવોમાં વળાઈને આપણો સ્વભાવ બને તે માટે આ વર્ષે સ્વચ્છતા...
સ્વચ્છતા હી સેવા અભિયાન જનવ્યાપી બની રહ્યું છે ત્યારે મોરબીમાં વિદ્યાર્થીઓ દ્વારા લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવાના હેતુથી માનવ સાંકળ રચવામાં આવી હતી.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતાથી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં વધુને વધુ પ્રમાણમાં જન ભાગીદારી નોંધાય વિવિધ સંસ્થાઓ અપેક્ષિત મંડળો તેમજ...