Tuesday, September 24, 2024

હળવદ એસટી ડેપોમાં પીવાના પાણીની મુશ્કેલીથી મુસાફરોમાં રોષ, તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવા માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ એસટી ડેપોમાં શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 3000 થી વધુ મુસાફરો આવે છે. પરંતુ ડેપોમાં મુસાફરોને પીવાના પાણીની સુવિધા ન હોવાથી રોષની લાગણી ફેલાઇ છે. લોકોને પૈસાથી પાણી પીવાનો ઘાટ સર્જાતાં પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

આ બસ સ્ટેશનમાં અનેક અસુવિધાઓને લઇને મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. કારણ કે હળવદ એસટી ડેપોમાં દરરોજ અંદાજે 3000થી વધુ મુસાફર આવી રહ્યા છે. ત્યારે આ બસ સ્ટેશનમાં એક સિન્ટેક્ષની પાણીની ટાંકી મૂકીને મુસાફરો માટે પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી.

પરંતુ છેલ્લી 10 ઉનાળાની સિઝનથી આ પરબમાંથી પાણી ન મળતું હોવાની રાવ ઉઠી હતી. આ અંગે લોકોનો આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ બસ સ્ટેશનની પરબે પાણી પીવા આવીએ ત્યારે કોઇ જ વ્યવસ્થા નથી, પાણીના નળ પણ નથી પાણીની ટાંકીમાં પાણી નથી અને પરબમાં જ્યાં પાણી ભરવાની જગ્યા છે તે પાણીના પાઉચ સહિતના કચરા સાથેની ગંદકીથી દૂષિત બની છે.

પાણી ન હોવાના કારણે બાળકો, વૃદ્ધોને પૈસા ખર્ચીને પાણી પીવડાવવાનો વારો આવે છે. હાલ ઉનાળાના તાપથી લોકોને તરસ લાગવાથી પાણીની અતિ જરૂરિયાત રહે છે. આથી એસટીના જવાબદાર તંત્ર દ્વારા આ પરબની ભાળ લઇને લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.
રવિ પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર