7 જુલાઈએ મોરબીમાં એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર
મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તારીખ 7- જુલાઈને રવિવારે સવારે 9 થી 11 સુધી વિનામૂલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના કોઈપણ જાતના દુઃખાવાની સારવાર કરવામાં આવશે.
આ કેમ્પમાં મોર્નિંગ વોકીંગ ગૃપવાળા ઈશ્વરભાઈ મોટકા (પટેલ) દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. તેમજ ઈશ્વરભાઈ મોટકા (પટેલ) તેમજ હરીશભાઈ રાજાનાં જન્મ દિવસ નિમિત્તે જલારામ મંદિરે ખાતે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ વાગ્યા સુધી ઇશ્વરભાઈ દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.