હળવદ મામલતદાર ના અનુદાનથી હળવદ 3 પ્રાથમિક શાળામાં તિથીભોજન, મામલતદારે બાળકો સાથે ભોજન લીધુ
કોરોના મહામારીને પગલે લગભગ બે વર્ષ જેટલો સમય બંધ રહ્યા બાદ મધ્યાહ્ન ભોજન શરુ કરાયું છે ત્યારે હળવદ મામલતદારે બાળકો સાથે બેસી ભોજન લીધું હતું, સમાજ ને એક નવો રાહ ચિંધ્યો હતો.હળવદ મામલતદાર એન એસ ભાટીના અનુદાનથી ૩ પ્રાથમિક શાળામાં તિથીભોજનથી પીએમ પોષણ (મધ્યાહન ભોજન યોજના) ની કોરોના કાળ બાદ અંદાજે ૭૦૦ દિવસ પછી પુનઃ શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે હળવદ મામલતદાર ને.એસ. ભાટી એ બાળકો સાથે બેસી ભોજન લીધું સમાજ ને નવો રાહ ચિંધ્યો હતો.
હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
થોડા દિવસ પહેલા હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી માતાજીના આશ્રમમાં થયેલ ચોરીના ભેદને ઉકેલવા હળવદ પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી તે દરમ્યાન હળવદ...
મોરબી: મોરબી શહેરમાં નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં લાગેલા પ્લાટીકના ડોમ દુર કરવા મોરબી જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કોંગ્રેસ શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી શહેરમાં ઘણી બધી નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો...
સેવા સેતુ કાર્યક્રમનો ૬૧૫ લોકોએ લાભ લીધો
મોરબી જિલ્લામાં સેવા સેતુ અંતર્ગત યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં માળીયા તાલુકામાં વવાણીયા ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ તમામ તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં પારદર્શકતા આવે, લોકોની સમસ્યાઓનું ઝડપી...