હળવદ જીઆઈડીસીમાં આજે મોટી દુર્ઘટના સર્જાતાં એકાએક મીઠાના કારખાનાની દીવાલ તૂટી પડતા અનેક મજુરો દીવાલ નીચે દટાયા હોવાની આશંકા સાથે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
અત્યાર સુધી માં દિવાલના કાટમાળ હેઠળ દબાયેલા 12 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યો છે મૃત્યુ આંક હજુ વધશે તેવી આશંકા દર્શાવી રહી છે જાણવા મળતી વધુ વિગતો મુજબ હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનાની દીવાલ ઘસી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી
જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ જતા તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે અને અંદાજે સાતેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય મૃત્યુ આંક ખુબ જ મોટો રહેવાની આશંકા સેવાઈ રહી છે
સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના શહેરોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે.
હાલ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા...
આ ઉત્કર્ષ બ્યુટી પાર્લરના ૨૫/- બહેનોને ઉમા બેન સોમૈયા કે જેઓ ઉમા બ્યુટી પાર્લર ચલાવે છે તેઓએ બ્યુટી પાર્લર ક્લાસમાં આવતા તમામ લાભાર્થી બહેનોને બે માસમાં સંપૂર્ણ બ્યુટી પાર્લર શીખવાડી તૈયાર કરવામાં આવ્યા અને તે અનુસંધાને સર્ટિફિકેટ અને બ્યુટી પાર્લર કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય પ્રવૃત્તિમા ગંગા સ્વરૂપ...
મોરબી: મોરબીમા મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હંમેશ જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવામાં આવતી હોય છે ત્યારે વિકલાંગ વ્યક્તિઓને ચાર વ્હીલચેર વિતરણ કરવામાં આવી હતી.
મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી માટે 22મી સપ્ટેમ્બર, 2024 એક મહત્વપૂર્ણ દિવસ હતો કારણ કે તેઓએ વિકલાંગ વ્યક્તિઓને 4 વ્હીલચેરનું વિતરણ કર્યું હતું. આ નિઃસ્વાર્થ કાર્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને...