આપણી હિન્દૂ પરંપરામાં શષ્ટિપૂર્તિનો એક વિશેષ જ મહિમા રહ્યો છે ત્યારે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાને આગામી 08.03.2022 ના રોજ પોતાના જીવનના 60 વર્ષ પુરા થઈ રહ્યા છે. આ નિમિત્તે તેઓએ એક વિશિષ્ટ સંકલ્પ કર્યો. મોરબી જીલ્લાના સુવિખ્યાત તમામ મંદિરોના દર્શન કરવા અને એ અંતર્ગત સૌ પ્રથમ ચોટીલા મુકામે આવેલા તેઓના કુળદેવી માઁ ચામુંડાના દર્શન બાદ ખોડલધામ- કાગવડ અને મહાશિવરાત્રીના પાવન દિવસે ઉમા ટાઉનશીપ ખાતે આવેલ માઁ ઉમિયા મંદિર દર્શન કરી શિવાલય દર્શનયાત્રાનો પ્રારંભ કર્યો હતો..
શોભેશ્વર, અગનેશ્વર, કુબેરનાથ, નરસંગ ટેકરી, રામેશ્વર (અંકુર સોસા.) સત્યેશ્વર, સોમનાથ, બાદ જનકલ્યાણેશ્વર, રામેશ્વર (મોરબી-2),
શંકર આશ્રમ, પંચેશ્વર, જડેશ્વર, ત્રિલોકધામ, શનિમંદિર ધક્કાવાડી મેલડી માતા મંદિર દર્શન કરી કૃતાર્થતા અનુભવી હતી.. તમામ મંદિરોના મહંતશ્રીઓ અથવા પૂજારીશ્રીઓને શાલ ઓઢાળીને સન્માન કરાયું હતું.
દર્શન-યાત્રાના બીજા દિવસે વરિયા પ્રજાપતિ સમાજના આસ્થા કેન્દ્ર વરિયા માતાજી મંદિર, સો ઓરડી, સ્વામિનારાયણ મંદિર, સંસ્કારધામ. બાદ મચ્છુ નદીના કિનારે નિર્માણાધિન BAPS સ્વામીનારાયણ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી..
હળવદમા વ્યાજવટાવ તથા મારામારીના ગુનામાં સંડોવાયેલ બે અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ હળવદ પોલીસ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરેલ જેમાં અગાઉ અસામાજીક પ્રવૃતીઓ ચોરી/ મારામારી/ દારૂ વેચાણ/ લૂંટ જેવા ગુનાઓમાં સાથે સંડોવાયેલ કુલ આરોપી-૧૦ ના ગેરકાયદેસર દુકાન/ મકાન/ હોટેલ ડિમોલેશન...
વાંકાનેર શહેરમાં આધેડ LIC અને પોસ્ટ શાખાના એજન્ટ હોય અને આધેડ પોતાના ગ્રાહકોના પ્રિમીયમ રકમ તથા સાહેદોના પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક ભરેલ બેગ લઈને વાંકાનેર ગયેલ ત્યાં કોઈ અજાણ્યો ચોર ઈસમ બેગ ચોરી કરી લઇ ગયો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં પ્રતાપપરા...