Sunday, September 22, 2024

શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત જલારામ મંદિરમાં નારીરત્નોને સન્માનિત કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓની સુપુત્રી જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા (ઉપપ્રમુખ-મોરબી જીલ્લા પંચાયત) તથા શ્વેતાબેન ઠક્કર (સદસ્ય-પાટડી નગરપાલીકા), વાંકાનેર નગરપાલીકા પ્રમુખ- જયશ્રી બેન સેજપાલ, પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણી, ટંકારા તાલુકા પંચાયત સદસ્ય ચાર્મિબેન સેજપાલ, જસદણ નગરપાલીકા ચેરમેન સોનલબેન ઠક્કર, મોરબી નગરપાલીકા સદસ્ય મેધાબેન પોપટ તેમજ સુરભી બેન ભોજાણી સહીત ની નારી શક્તિ નુ સંતો મહંતો ની ઉપસ્થિતી મા જલારામ મંદિર-મોરબી ખાતે સન્માન

જલારામ મંદિર મહીલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય લલીતભાઈ કગથરા, રઘુવંશી રાજકીય અગ્રણી જીતુભાઈ સોમાણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી નગર પાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જીલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા નયનભાઈ અઘારા, રાજકીય અગ્રણી મહેશભાઈ રાજ્યગુરુ, મેસરીયા આપા જાલા જગ્યા ના મહંત શ્રી મગ્નીદાસ બાપુ, અયોધ્યાપુરી રામજી મંદિર ના મહંત ભુષણજીબાપુ, શાસ્ત્રીજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતી

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ૧૫ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ બાળવિદુષી પ.પૂ. રત્નેશ્વરી દેવીજી ના વ્યાસાસને અનેરુ આયોજન કરવા મા આવ્યુ છે ત્યારે શ્રી કૃષ્ણજન્મોત્સવ નિમિતે માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ. આ પ્રસંગે શ્રી જલારામ મંદિર-મોરબી ના ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ચગ ની સુપુત્રી જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા (ઉપપ્રમુખ- મોરબી જીલ્લા પંચાયત), જલારામ સેવા મંડળ અગ્રણી અનિલભાઈ સોમૈયા ની સુપુત્રી શ્વેતાબેન ઠક્કર (સદસ્ય-પાટડી નગરપાલીકા), જયશ્રીબેન સેજપાલ ( પ્રમુખ- વાંકાનેર નગરપાલીકા), જ્યોત્સનાબેન જીતુભાઈ સોમાણી (પૂર્વ ધારાસભ્ય), ચાર્મિબેન સેજપાલ (સદસ્ય-ટંકારા તાલુકા પંચાયત), મેઘાબેન પોપટ તથા સુરભીબેન ભોજાણી ( સદસ્ય- મોરબી નગરપાલીકા), સોનલબેન ઠક્કર (ચેરમેન-જસદણ નગરપાલીકા) સહીત ના મહીલા અગ્રણીઓ નુ સંસ્થા ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, નવીનભાઈ રાચ્છ ની આગેવાની મા વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવા મા આવ્યુ હતુ
શ્રી કૃષ્ણજન્મોત્સવ ના પાવન પ્રસંગ ના દીવસે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય લલીતભાઈ કગથરા, રઘુવંશી રાજકીય અગ્રણી જીતુભાઈ સોમાણી, જીલ્લા પંચાયત વિરોધપક્ષ ના નેતા નયનભાઈ અઘારા, રાજકીય અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, મોરબી નગરપાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, રાજકીય અગ્રણી મહેશભાઈ રાજ્યગુરુ સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા સંસ્થા ના અગ્રણીઓનુ આ તકે સાલ ઓઢાડી સન્માન કરવા મા આવ્યુ હતુ.
શ્રી જલારામ મંદિર મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા માનવ મહેરામણ ઉમટી રહ્યુ છે ત્યારે તા.૨૯-૪-૨૦૨૨ શુક્રવાર રાત્રે ૯ કલાકે રામ નામ કે હીરે મોતી ફેઈમ શ્રી અશોકભાઈ ભાયાણી ની ભજન સંધ્યા સ્વ.કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર ના સહયોગ થી યોજવા મા આવશે. તે કાર્યક્રમ દરેક ભક્તજનો ને સમયસર સહપરિવાર પધારવા સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવા મા આવ્યુ છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર