Saturday, September 28, 2024

વિશ્વઉમિયાધામ ખાતે વડાપ્રધાનના માતા હિરાબાના સ્વાસ્થ્ય માટે માં ઉમિયાની મહાઆરતી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દેશના પ્રખર રાષ્ટ્રભક્ત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે માતા હિરાબાના સારા સ્વાસ્થ્ય અને ઝ઼ડપથી સ્વાસ્થ્ય સુધારાના ઉદ્દેશ્યથી વિશ્વઉમિયાધામ – જાસપુર, અમદાવાદ ખાતે જગત જનનીમા ઉમિયાની મહાઆરતીનું આયોજન કરાયું હતું. હિરાબાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખ ડિ. એન.ગોલ, ખજાનચી કાંતિભાઈ રામ સહિત વિશ્વઉમિયાધામના મહિલા એવમ્ મુખ્ય સંગઠનના અમદાવાદ શહેરના હોદ્દેદારો મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.

માતા હિરાબાનું સ્વાસ્થ્ય ઝડપથી સ્વસ્થ થાય એવીમા ઉમિયાને પ્રાર્થનાઃ આર.પી.પટેલ

હું એવું અંગત પણે માનું છું કે માણસને કોઈ પણ ઉમરે માની મમતા અને વ્હાલ સૌથી વધુ ગમે છે. તેવા જ સમયે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હિરાબા અસ્વસ્થ હોય ખુબ ચિંતાનો વિષય છે. ત્યારે વિશ્વઉમિયાધામના સૌ ટ્રસ્ટી મિત્રો અને સંગઠનના મિત્રોએ આજે જગત જનની મા ઉમિયાને પ્રાર્થના કરી છે તેઓનું સ્વાસ્થ્ય ઝડપથી સુધારા પર આવે અને સ્વસ્થ્ય થાય.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર