લખધીરપુર રોડ પરની સિરામિક ફેકટરીમાં કામ કરતા હકરીયા ટેટીયાભાઈ આદિવાસી (ઉ.વ.૨૧) નામના યુવાન સિરામિક ફેક્ટરીની દિવાલ પરથી પડી જતા યુવાનને ગંભીર ઈજા થતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી: મોરબીની વજેપરમા રહેતા બે શખ્સોએ એક બીજા વિરુદ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી ઝઘડો કરી એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં વજેપર શેરી નં -૧૯ માં રહેતા અરવિંદભાઈ ડાહ્યાભાઈ પરમાર (ઉ.વ.૪૦) એ આરોપી ગીરીશભાઈ નારણભાઈ રહે....