તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી જેમાં વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર રઘુવંશી સમાજના અગ્રણી, રામધામના સ્વપ્નદ્રષ્ટા એવા જીતુભાઈ સોમાણી જંગી બહુમતીથી વિજયી બન્યા છે ત્યારે ૧૮૨ ધારાસભ્યો માંથી એક માત્ર રઘુવંશી ધારાસભ્ય તરીકે જીતુભાઈ સોમાણીએ સમસ્ત લોહાણા સમાજને ગૌરવ અપાવ્યુ છે ત્યારે સમસ્ત લોહાણા સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો સન્માન સમારોહ તેમજ વિજયોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોરબી લોહાણા સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી રેલી સ્વરૂપે શ્રી રામધામ મુકામે પહોંચ્યા હતા.
મોરબી: દાહોદમાં શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી હત્યા નિપજાવી હતી જે દિવંગતને મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
ગુજરાત રાજ્યના દોહદ જીલ્લામાં શિક્ષકોને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં છે જેમાં દાહોદ જિલ્લામાં એક હેવાન શિક્ષકે પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી ત્યારબાદ...
અરજદારોની આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતની તમામ અરજીઓનો પોઝીટીવ એપ્રોચ સાથે સ્થળ પર જનનિકાલ કરાયો
મોરબી જિલ્લામાં ગત ૨૭ સપ્ટેમ્બરના રોજ માળીયા ખાતે માળીયા નગરપાલિકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. જ્યાં માળીયા નગરપાલિકા વિસ્તારના ૮૬૫ લોકોએ સેવા સેતુનો લાભ લીધો હતો.
સેવા...
સ્વચ્છતાની જાગૃતિ સાથે વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું; રસોઈ અને ઘરમાં સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું
મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના નેકનામ ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન અને પોષણ માસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા જાગૃતિ સાથે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં હાલ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉપરાંત...