મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા આગામી સોમવાર તારીખ 13//06/2022 સોમવાર ના રોજ મોરબી ખાતે સવારના નવ વાગ્યા થી પાંચ સુધી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેમ્પ રાખવામાં આવેલ છે
આ કેમ્પમાં આવનાર ને સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનું ફોર્મ ભરી આપવામાં આવશે સાથે જ તે જ દિવસે ખાતું ખોલી આપવામાં આવશે અને આ માટે 0 થી 10 વર્ષ સુધીની કન્યા નું ખાતું ખોલી આપવામાં આવશે આ માટે કન્યાનો જન્મ તારીખ નો દાખલો સાથે તેના માતા-અથવા પિતા નો પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ અને આધારકાર્ડ પાન કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી ભારત સરકાર દરેક કન્યા માટે ઉચ્ચતમ વ્યાજ દર સાથે આ કન્યાના ભવિષ્ય માટે અભ્યાસમાં અર્થે લગ્ન સમયે તેને આ રકમ ઉચ્ચ અભ્યાસ અર્થે પણ કામ આવી શકે અને સ્વાવલંબી બનવાના હેતુસર આ યોજના ખૂબ જ લોકપ્રિય બની રહી આ માટે મોરબી પોસ્ટ ઓફિસ મા લાભ લેવા એક અખબારી યાદીમાં જે.આર રાવલ પી આર આઈ થી મોરબી એમ. ડી.જી.
અને પ્રશાંતભાઈ પાટીલ M.E. MOBILE NUMBER
9426405599 મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ સંપર્ક કરવો
ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનુ અને શ્રીમદ રાજચન્દ્રજીનુ જન્મ સ્થળ વવાણીયાની પણ અનેક પ્રવાસીઓ લે છે મુલાકાત
દેશ અને દુનિયામાં સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ અને બરફના ગોલાથી સુપ્રસિધ્ધ મોરબી જિલ્લામાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા આવેલ છે. જયા વૈદિક ધર્મનું અભ્યાસ કેન્દ્ર ચાલે છે. મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ...
શ્રી પાલણપીરના મેળા અન્વયે ટ્રાફિક નિયંત્રણ માટે ૨૬ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન જાહેરનામુ અમલી
મોરબી જિલ્લામાં હડમતીયા ગામે શ્રી પાલણપીર મંદિર ખાતે ભાદરવી વદ નોમ, દશમ અને અગિયારસ એટલે કે તા. ૨૬/૦૯/૨૦૨૪ થી તા.૨૯/૦૯/૨૦૨૪ દરમિયાન મેઘવાળ સમાજ દ્વારા પૌરાણિક મેળો યોજાતો હોય છે. આ મેળામાં અંદાજિત ૫૦૦૦ માણસો એકઠા થઈ...
મોરબી જિલ્લામાં ગ્રામીણ માર્ગો પર વાહન વ્યવહાર સુલભ બને તે માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અનેક ગ્રામીણ માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
ગ્રામીણ પરિવહન સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા એ જિલ્લાના સુદ્રઢ આંતરમાળખાનું મહત્વનું પરિબળ છે. ત્યારે મોરબી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોને એકબીજા સાથે જોડતા ગ્રામ્ય વિસ્તારના...