કપાસ નો નીચો ભાવ ₹1900 રહ્યો
તો ઉંચો ભાવ ₹2500ને પાર થયો
મોરબી નું માર્કેટયાર્ડ માર્ચ એન્ડીગને કારણે પાંચ દીવસ બંધ રહ્યા બાદ ફરીથી ખુલતા રાબેતા મુજબ ધમધમવા લાગતા અને પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી.
મોરબીનું માર્કેટીંગ યાર્ડ આજથી ખુલતા જ ઘઉં, કપાસ, ચણાની ચિક્કાર આવક થઈ હતી. જેમાં સૌથી વધુ ઘઉંની 1663 કવીન્ટલ આવક થઈ હતી.ત્યારબાદ બીજા ક્રમે કપાસની પણ 846 કવીન્ટલ આવક થઈ હતી. આ ઉપરાંત ચણા 588, એરંડા 310, જીરું 265, રાયડો 217, રાય 209, મેથી 95, તુવેર 83, મગફળી 35, ધાણા 32 કીવન્ટલ સહિતની જણસીઓની સારી એવી આવક થઈ હતી. જો કે, આજની હરરાજીમાં કપાસના ભાવ 2500ને પાર થયા હતા અને ઘઉં પણ 540 રૂપિયાની સપાટી વટાવી ગયા જતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. આજે માર્કેટીંગ યાર્ડમાં હરરાજી દરમિયાન કપાસનો મણ દીઠ નિચો ભાવ રૂ.1900 અને ઉંચો ભાવ રૂ.2510 ને આંબી ગયો હતો. જ્યારે ઘઉંનો મણ દીઠ નિચો ભાવ રૂ.430 અને ઉંચો ભાવ 540 રહ્યો હતો. આ ઉપરાંત ચણાનો ભાવ પણ રૂ.777 થી 1311ની આસપાસ રહ્યો હતો. તેમજ જીરુંનો ભાવ પણ રૂ.2500 થી રૂ.4140 મળ્યો હતો. આમ આજે આવક વધુની સાથે ભાવ પણ સારા મળ્યા હોવાનું સતાવાર રીતે જણાવાયું છે.
ટંકારા સમય ફિડરમા આવતા રહિશોને છેલ્લા એક વર્ષથી 150 થી વધારે ટ્રીપીંગ/પાવર કટ થયુ છે જેની 11KV- સમય ફિડરમાઅનેક વખત રજૂઆતો કરવા છતાં સોલ્યુશન નહી આવતા રહીશો આ સમસ્યાનું તાત્કાલિક નીવારણ લાવવા મોરબી પીજીવીસીએલના સુપ્રીટેન્ડ ઈજનેરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
ટંકારા સમય ફિડરમા આવતા પૂર્વ ભાજપ પ્રમુખ ચંદુભાઈ...
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -૨ ડેમના રીપેરીંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે આગામી તારીખ ૨૩-૦૪-૨૦૨૫ ને બુધવારના રોજ બપોરના ૦૪:૦૦ કલાકે બે દરવાજા બે ફુટ ખોલવામાં આવશે અને ડેમમાંથી ૧૪૫૬ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવશે.
જ્યારે સિંચાઇ વિભાગ દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં આવતા ગામનો લોકોને નદીના પટમાં...