એક તરફ ઉનાળા નો આકરો મીજાજ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સરકાર મેડિકલ કોલેજ રદ્દ થતાં સામાજિક સંસ્થાઓ અને વિરોધ પક્ષો એ પણ સરકાર સામે આકરાં મિજાજ દેખાડતાં રાજકારણ ગરમાયું છે
2020 માં સરકારી મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવેલ જેનો વિધાનસભાની પેટા ચૂંટણી માં ભરપૂર લાભ ઉઠાવી વાહવાહી લુંટવામાં આવેલ જોકે મોરબી જિલ્લાને ફાળવવામાં આવેલ સરકારી ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ છેલ્લી ઘડીએ તાપી જિલ્લાને ફાળવી દેવાઈ હતી. જયારે મોરબીની ખાનગી સંસ્થાને સાથે રાખી શરુ કરવાનો નિર્ણય લેતા મોરબી જીલ્લામાં બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજની જાહેરાત કરવામાં આવતા મોરબીવાસીઓ સાથે સરકાર દ્વારા છેતરપીડી કરવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સામાન્ય લોકોથી લઇ રાજકીય પક્ષોમાં નારાજગી જોવા મળી રહી છે. અને તેનો વિરોધ ઉઠવાની શરૂઆત થઇ ચુકી છે.
તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ બહાર ધરણા અને દેખાવ કરવામાં આવ્યા હતા હવે આ વિરોધમાં કોંગ્રેસ પણ જોડાયું છે. મોરબીના સરદાર બાગ સામે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સામે ધરણા શરુ કરવામાં આવ્યા છે સાથે સાથે મોરબીને થયેલા અન્યાયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા મોરબીને જ સરકારી મેડીકલ કોલેજ જ મળવી જોઈએ તેવી માગણી કરવામાં આવી રહી છે અને તેના માટે આગામી 6 દિવસ સુધી ધરણા ચાલશે. પ્રથમ દિવસે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, ધારાસભ્ય મોહમદ પીરજાદા,મનોજ પનારા આ ધરણામાં મોરબી જિલ્લાની 4 નગરપાલિકા તેમજ 5 તાલુકા પંચાયત વિસ્તારમાં આવતા કોંગ્રેસના કાર્યકરો એક પછી એક એમ જોડાશે અને સરકારના આ નિર્ણય સામે જોરદાર વિરોધ કરશે. જ્યાં સુધી સરકારી મેડીકલ કોલનહી મળે ત્યાં સુધી કોંગ્રેસ વિરોધ કરશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું
મોરબી: સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું.
જેમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનમા રાજપુત કરણીસેના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને તમામ મુખ્ય હોદેદારો સાથે હજારોની સંખ્યા રાજપુત કરણી સૈનીકો જોડાયા હતા. તેમજ મોરબી જીલ્લા પ્રમુખ જાડેજા જયદેવસિંહ અને...
મોરબી: રાજ્ય સરકાર દ્વારા દ્વારા મહત્વનો નિર્ણય ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત...