મોરબી શહેરમાં કચરાના સ્ટેન્ડ પરથી કચરો ઉપાડવાની કામગીરીમાં બેદરકારી દાખવનાર એજન્સીને અગાઉ દંડ ફટકારી તાકીદ કરવામાં આવી હતી છતાં સ્થિતિમાં સુધારો ના થતા તાત્કાલિક ધોરણે કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શ્રીજી એજન્સી અમદાવાદને નોટીસ ફટકારી જણાવ્યું છે કે તા ૧૮-૧૦-૨૦૨૧ થી આપની એજન્સીને મોરબી શહેરી વિસ્તારના તમામ ૧ થી ૧૩ વોર્ડમાં આવેલ તમામ વિસ્તારના નાના મોટા કચરાના ઢગલા ઉપાડવા માટેનો કોન્ટ્રાકટ આપેલ જે કામગીરીમાં બેદરકારી બદલ અને કરારની શરતોનો વારંવાર ભંગ કરતા નોટીસ આપી હતી અને કચરો ઉપાડવા તથા દવા છંટકાવની કામગીરી સુધારવા તાકીદ કરી તેમજ રૂ ૨,૦૦,૧૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો બાદમાં સ્થળ પર ફરીથી રૂબરૂ નિરીક્ષણ કરતા કામગીરીમાં સુધારો માલૂમ પડ્યો નથી જેની અસર લોકોના જાહેર આરોગ્ય પર થાય છે
વધુમાં પાલિકા દ્વારા કોન્ટ્રાકટ રદ્દ કરતા પત્રમાં જણાવ્યું છે કે, મોરબી શહેરી વિસ્તારના તમામ ૧ થી ૧૩ વોર્ડમાં આવેલ તમામ વિસ્તારોના નાના-મોટા કચરાના પોઈન્ટ-ઢગલા ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો પરંતુ ઉપરોક્ત કામગીરીમાં બેદરકારી દાખવતાં વિવિધ મુદાઓ અને કરારની શરતો નં. ૫, ૯, ૧૦, ૨૯ તથા ૩૭ નો વારંવાર ભંગ કરતાં નોટીસ આપવામાં આવેલ અને નોટીસમાં નિર્દિષ્ટ જગ્યા પર કચરો ઉપાડવા તથા દવા છંટકાવની કામગીરી સુધરવા બાબત તાકીદ કરેલ અને રૂ. ૨,૦૦,૧૦૦/- નો દંડ પણ કરવામાં આવેલ.
ઉપરાંત હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨ ની કામગીરી ચાલી રહી છે અને આ પ્રકારની બેદરકારીને કારણે લોકોનું જાહેર આરોગ્ય જોખમાઈ છે અને મોરબી નગરપાલિકાના નેશનલ રેન્ક પર અસર પડે છે જેથી કોન્ટ્રાકટની શરત નંબર ૨૩ અંતર્ગત તાત્કાલિક અસરથી કોન્ટ્રાકટ રદ કરવામાં આવે છે જેની સ્પષ્ટ નોંધ લેવા જણાવ્યું છે
હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
થોડા દિવસ પહેલા હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી માતાજીના આશ્રમમાં થયેલ ચોરીના ભેદને ઉકેલવા હળવદ પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી તે દરમ્યાન હળવદ...
મોરબી: મોરબી શહેરમાં નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં લાગેલા પ્લાટીકના ડોમ દુર કરવા મોરબી જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કોંગ્રેસ શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી શહેરમાં ઘણી બધી નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો...
સેવા સેતુ કાર્યક્રમનો ૬૧૫ લોકોએ લાભ લીધો
મોરબી જિલ્લામાં સેવા સેતુ અંતર્ગત યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં માળીયા તાલુકામાં વવાણીયા ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ તમામ તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં પારદર્શકતા આવે, લોકોની સમસ્યાઓનું ઝડપી...