મોરબી: હાલમાં બોલિવુડ ફિલ્મ પઠાણનુ એક ગીત રીલીઝ કરવામાં આવ્યું છે જે ગીતમાં ભગવાનુ અપમાન કર્યું હોવાનો મુદો ઉઠાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબીમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા ફિલ્મના પોસ્ટર સળગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની દ્વારા સરકારને અને બધા જ સિનેમા થિયેટરના માલિકોને જણાવવા આવ્યું છે કે જે પઠાણ પિક્ચરમાં જે ભગવા રંગ ધારણ કરીને હિન્દુ સમાજની લાગણી દુભાવવામાં આવી છે તો બધા થિયેટરના માલિકોને ખાસ જણાવવા આવ્યું કે આ પઠાણ પિક્ચર મોરબીના એક પણ થિયેટરમાં ચાલુ કરવામાં ના આવે ચાલુ કરવામાં આવશે તો થિયેટરની નુકસા થશે તેની જવાબદારી ખુદ થિયેટર માલિકની રહેશે.
વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોના હોદેદારો અને કાર્યકરો મોરબીના નગર દરવાજા ચોકમાં એકત્ર થયા હતા અને ફિલ્મ પઠાણનો વિરોધ નોંધાવ્યો હતો ફિલ્મ પઠાણના પોસ્ટર કાર્યકરોએ સળગાવી સુત્રોચ્ચાર કર્યા હતા અને ફિલ્મ થીયેટરમાં રીલીઝ ના કરવાની માંગ કરી રહ્યા છે.
મોરબી જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.૨૩/૦૪/૨૦૨૫ બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે અને તા.૨૪/૦૪/ ૨૦૨૫ ગુરુવારના રોજ મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે સવારે ૯-૩૦ વાગ્યાથી...
મોરબી મહાનગરપાલિકા ખાતે વેરો ભરવા માટે આવતા શહેરીજનો સર્વરના ધાંધીયાના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે. પોતાનો કિંમતી સમય કાઢીને વેરો ભરવા આવતા લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્ય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ઘણા દિવસોથી વેરા વસૂલાત કામગીરી કરવામાં આવી રહી છે. અને વેરો ભરવાનો બાકી હોય તેવા આસામીઓને વેરો ભરી...