પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને મોરબી જીલ્લા સંગઠન પ્રભારીની સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જીલ્લા માલધારી સેલની રચના કરીને હોદેદારોની નિમણુક કરવામાં આવી છે
મોરબી જીલ્લા માલધારી સેલના સંયોજક તરીકે કાનજીભાઈ ડુંગરભાઇ ભુંભરીયા, સહ સંયોજક તરીકે નાજાભાઈ પેથાભાઈ ભરવાડ તેમજ સભ્ય તરીકે રાજુભાઈ મૈયાભાઈ ગમારા, નીતિનભાઈ નારણભાઈ પાઘરીયા, ભુપતભાઈ માંડણભાઈ પાંચિયા, રમેશભાઈ ગેલાભાઈ પાંચિયા, નવઘણભાઈ નાગજીભાઈ વકાતર, મોનાભાઈ દેવાભાઈ ખાંભરા અને ભરતભાઈ ગમારાની વરણી કરવામાં આવી છે
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના ઘુંટું ગામના અગ્રણી વિનોદભાઈ કૈલા દ્વારા તેમના પુત્ર યશના ૧૫માં જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી.
આ તકે યશ કૈલા, જાદવજીભાઈ કૈલા (દાદા), અનસોયાબેન...