Friday, September 20, 2024

મોરબી જિલ્લાના ગૌ સેવકો નું ઉમદાકાર્ય

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગત તા. 29/8/2020ના રોજ મોરબી જિલ્લાના માટેલ માં ભારે વરસાદના કારણે પૂર આવેલ તેમાં એક વાછળી તણાતી હોય માટેલ ગામના ભરતભાઈ વિઝવાડિયા દ્વારા પળ ભરનો વિચાર કર્યા વગર ધસમસતા પ્રવાહમાં વાછળી ને બચાવવા ઝંપલાવવા માં આવેલું

પરંતુ કમનસીબે કુશળ તરવૈયા હોવાછતાં પાણીમાં પડવા સમયે કોઈ ઇજા થવાથી ભરતભાઈ પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલ અને બે દિવસ બાદ તેમનો મૃતદેહ મળેલો આ સમાચાર અખબારો માં વાંચી અને મોરબી જિલ્લાના ગૌ સેવકો તાત્કાલિક માટેલ ભરતભાઈ ના પરિવારને સાંત્વના પાઠવવા રૂબરૂ દોડી ગયેલ જ્યા તેઓને એવું જાણવા મળેલું કે આ બનાવ થી ભરતભાઈ ના પાંચ સંતાનો નોધારા થઈ ગયેલ છે તેથી આ સંતાનો માટે આર્થિક મદદ કરવા ફાળો કરવાનું નક્કી કરેલ જેના ભાગ રૂપે મોરબી હળવદ વાંકાનેર રાજકોટ માં ફાળો ઉઘરાવવા માં આવેલ જેના ભાગ રૂપે અનેક નામી અનામી લોકો દ્વારા છ લાખ ત્રીસ હજાર જેવું માતબર દાન આપવામાં આવેલું કોરોના ની પરિસ્થિતિ ના કારણે ના થઈ શકેલ આ દાન ના વિતરણ નો કાર્યક્રમ આજરોજ તા. ૨૭ ને રવિવાર ના ખોડીયાર મંદિર માટેલ ધામ ખાતે મંદિર ના મહંત ખોડુબાપુ ની હાજરીમાં યોજવામાં આવેલ જેમાં ભરતભાઈ ના પાંચેય સંતાનો ને દાનની રકમ અર્પણ કરવામાં આવેલી આ પ્રસંગે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમ ના પ્રમુખ મુન્નાભાઈ હળવદ ના સામજિક કાર્યકર ને રાજકીય અગ્રણી તપનભાઇ દવે મોરબી થી પરેશભાઈ કાનાબાર પગ્રેશભાઇ ચતવાણી તુષારભાઈ દફતરી અને સતીશભાઈ કાનાબાર ઉપસ્થિત રહેલા આ પ્રસંગે માટેલ ના આગેવાનો અને સરપંચ મુન્નાભાઈ ખાસ ઉપસ્થિત રહેલા અને સો ગૌ સેવકોએ આ કાર્યમાં દાન આપનાર તમામ દાતાશ્રી નો અંત કરણ પૂર્વક આભાર માનેલો

રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર