મોરબી સત્સંગ સમાજ દ્વારા રવાપર-ધુનડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 26 એપ્રિલથી 2જી મે દરમિયાન હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ રાત્રે 8:30 થી 11:30 કલાક સુધી વક્તા પદે હરિપ્રકાશદાસજી સ્વામી – અથાણાવાળા (સાળંગપુરધામ) બિરાજીને પોતાની આગવી સંગીતમય શૈલીમાં સુમધુર કથાનું રસપાન કરાવશે.
મોરબી સત્સંગ સમાજ દ્વારા યોજાનાર આ કથાનો પ્રારંભ તા. 26 એપ્રિલને મંગળવારના રોજ રાત્રે 08:30 કલાકે થશે. રાત્રે 9 કલાકે સંતોના તથા કથાના યજમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય થશે. તા. 30 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે અન્નકૂટ ઉત્સવ યોજાશે ત્યારબાદ તા. 30 એપ્રિલના રોજ રાત્રે 10:30 કલાકે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે જેમાં હનુમાનદાદાને 51 કિલોની કેક ધરવામાં આવશે, 108 કિલો પુષ્પવર્ષાથી હનુમાનજી મહારાજ સંતો ભક્તોને વધાવવામાં આવશે, સમગ્ર સભામંડપ ફૂલો અને ફૂગ્ગાથી સજાવવામાં આવશે, અનેક પ્રકારના હનુમાનજી અને વાનર સેનાના દર્શન થશે અને 51 કિલો ચોકલેટ-કેડબરી દાદાને ધરવામાં આવશે. આ ઉપરાંત તા. 28 એપ્રિલને ગુરુવારના રોજ કથા સ્થળે રાત્રે 8:00 થી 10:00 કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે અને તા. 2 મે ના રોજ રાત્રે 11:30 કલાકે કથાની પૂર્ણાહુતિ થશે.
આ હનુમાન ચાલીસા કથાનું લાઈવ પ્રસારણ પણ નીહાળી શકાશે અને આ કથામાં દર્શનીય સંતો, કથાના યજમાનો, સરકારી અધિકારીઓ, રાજકીય મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
આવતી કાલ તા. ૨૨/૦૯/૨૦૨૪ ને રવિવારથી મોરબી બાયપાસ રોડ પર કાધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં જયમાં આશાપુરા સેવા કેમ્પનો પ્રારંભ થશે.
આ કેમ્પમાં મેડીકલને લગતી તમામ સુવિધા, અલ્પાહાર સાથે ચા-પાણીની સગવડ, રાત્રી રોકાણની સુવિધા, પદયાત્રીને સ્નાનકાર્ય માટે યોગ્ય વ્યવ્સ્થા, અત્યાધુનિક મસાજ, કસરતના સાધનો સાથે અનુભવી મેડીકલ ટીમ દ્વારા તમામ પ્રકારની સેવા...
શિક્ષકોની તાલીમ, એકમ કસોટી સ્વચ્છતા અભિયાન,vમતદાર યાદી સુધારણા, કલા ઉત્સવ જેવા કાર્યક્રમોને કારણે અભ્યાસક્રમ પૂરો થયો ન હોવાથી PDS+ મોબાઈલ એપ્લિકેશનમાં e kycની કામગીરી શિક્ષકોને ન સોંપવા રજુઆત કરાઈ.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઈ- કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે, વંદે ગુજરાત ચેનલ - ૧ પર...
વાંકાનેર ફાયરીંગ બટ ખાતે DY. COMMANDANT/CASO, CISF Unit Airport Rajkot ને વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ ૨૧/૦૯/૨૦૨૪ અને ૨૮/૦૯/૨૦૨૪ એમ બે દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર...