Saturday, September 21, 2024

મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સાયક્લોથોન યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધતું રહ્યું છે.આ પ્રદૂષણ વિશેની જાગૃતિ લોકોમાં આવે એ હેતુથી નીલકંઠ સ્કૂલ તેમજ સક્ષમ-૨૦૨૨ (IOCL)ના સંયુક્ત ઉપક્રમે સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા રાષ્ટ્રીય શૈક્ષિકસંઘ મોરબી જિલ્લા પ્રમુખ દિનેશભાઈ વડસોલા, નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા ના વરદ હસ્તે લીલીઝંડી આપી કરવામાં આવ્યું હતું. જેમાં 120 થી વધુ સાયકલવીરોએ ભાગ લીધો હતો.
આ સાયકલોથોન એ શહેર માં 2.5 કિમી વિસ્તાર માં ફરી અને લોકોને ઉર્જા બચાવવા માટેની અપીલ કરી હતી.

આ પ્રસંગે બ્રિજેશભાઈ મેરજાએ આપણા કુદરતી સંસાધનોને બચાવવા માટે “હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો”પર ધ્યાન આપવાની જરૂર છે તેમ જણાવ્યું હતું .આ પ્રવૃત્તિઓનો હેતુ ગુજરાતી જનસમુદાયમાં બળતણની બચત,સ્વચ્છ ઊર્જાનો ફાયદો,પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા વગેરે જેવા સંદેશાઓ પ્રસરાવવા નો હતો.
આ કાર્યક્રમને અંતે 120થી વધુ સાયકલિસ્ટને નીલકંઠ સ્કૂલ દ્વારા ફાઈલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર