માળીયા : માળીયા મીંયાણા તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવા માટેના રોડનું રીપેરીંગ તથા પેચવર્ક કરવા બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા દ્વારા માર્ગ મકાન વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવાયું છે કે, માળીયા (મીં.) તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવાનો મુખ્ય રસ્તો તા. 19-07-2017 ના રોજ નવો બનેલ હતો પરંતુ હાલ આ રોડ એકદમ બીસ્માર હાલતમાં છે અને મસમોટા ખાડાઓ પડી ગયા છે કેમ કે આ રસ્તો બનાવ્યો ત્યારે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. આ રોડનો ગેરંટી પીરીયડ તા. 19-07-2022 ના રોજ પુર્ણ થતો હોવા છતાં રોડની હાલત ખરાબ થઈ છે જેથી તાત્કાલિક ધોરણે રોડના રીપેરીંગ અને પેચવર્કની કામગીરી શરૂઆત કરવા માંગ કરી છે.
મોરબીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિવિધ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા ની થીમ અન્વયે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને ‘એક પેડ મા કે નામ’ અન્વયે રોપાઓનું વાવેતર પણ કરાયું હતું.
મોરબીમાં વિવિધ શાળાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા સંદર્ભે ચિત્ર...
આવતી કાલ તા. ૨૨/૦૯/૨૦૨૪ ને રવિવારથી મોરબી બાયપાસ રોડ પર કાધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં જયમાં આશાપુરા સેવા કેમ્પનો પ્રારંભ થશે.
આ કેમ્પમાં મેડીકલને લગતી તમામ સુવિધા, અલ્પાહાર સાથે ચા-પાણીની સગવડ, રાત્રી રોકાણની સુવિધા, પદયાત્રીને સ્નાનકાર્ય માટે યોગ્ય વ્યવ્સ્થા, અત્યાધુનિક મસાજ, કસરતના સાધનો સાથે અનુભવી મેડીકલ ટીમ દ્વારા તમામ પ્રકારની સેવા...