રક્તદાતાઓ નેં ખોખરા હનુમાનજી ની પ્રતિમા ભેંટ આપવામાં આવશે
મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ ના માજી સરપંચ સ્વ: અશ્વિનભાઈ બોપલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિમિતે બોપલીયા પરિવાર દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવા સત્સંગ સંધ્યા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સત્સંગ સંધ્યા તા.3ને મંગળવારના રોજ રાત્રે 8 કલાકે CNG પંપ ગ્રાઉન્ડ, મહેન્દ્રનગર ખાતે અને બ્લડ ડોનેશન કેમ્પ સવારે 8:30 કલાકે યોજાશે.
માજી સરપંચ, મહેન્દ્રનગરના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યોમાં પોતાનું સંપૂર્ણ જીવન કાર્યો કરીને પ્રજાના હૃદયમાં સ્થાન મેળવનાર સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બોપલિયા પરિવાર તેમજ મહેન્દ્રનગરના યુવાનો દ્વારા સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનકેશ્વરીદેવી તથા સંતોની હાજરીમાં લોકપ્રિય ભજનિક શૈલેષ મહારાજ, વિવેક સંચલા તેમજ યુવા સાહિત્યકાર રવીન્દ્ર સોલંકી શ્રદ્ધાસુમન અર્પણ કરશે. સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી: મોરબીના ઘુંટુ ગામની સીમમાં મોરબી હળવદ રોડ પર હરીઓમ પાર્ક સોસાયટી સામેથી સિ.એન.જી. રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ઘુંટુ...