મોરબી: મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની એક પીસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીસ સાથે મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
પોલીસ અધિક્ષક મોરબી જિલ્લા નાઓએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા જેમાં ગેરકાયદેસર હથિયારો પોતાના કબજામા રાખી અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.,મોરબી તથા એસ.ઓ.જી.સ્ટાફ કાર્યરત હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલને સંયુકત બાતમી મળેલ કે એક ઇસમ શરીરે સફેદ શર્ટ કાળી ચેકસ ડીઝાઇન વાળો તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે. તેના કબજામાં ગેરકાયદેસર પીસ્તોલ જેવુ હથિયાર છે જે ઇસમ હાલમા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ટીંબડીરોડ પર હાજર છે તે બાતમીના આધારે મળેલ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી વિજયભાઇ ઉર્ફે જગો રમણીકભાઇ ઓગાણીયા ઉ.વ.૨૧ ધંધો રીક્ષા ડ્રાયવિંગ રહે. સુરેન્દ્રનગર દાળમીલ રોડ વેલનાથ સોસાયટી ફીરદોસ સોસાયટી પાસે તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર વાળાને દેશી બનાવટની પીસ્તોલ નંગ-૧, કિં રૂ.૧૦,૦૦૦ તથા જીવતા કાર્ટીઝ નંગ-૩ કીં.રૂ.૩૦૦/- મળી કુલ કિં.રૂ. ૧૦,૩૦૦/-ના મુદામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના શહેરોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે.
હાલ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા...
આ ઉત્કર્ષ બ્યુટી પાર્લરના ૨૫/- બહેનોને ઉમા બેન સોમૈયા કે જેઓ ઉમા બ્યુટી પાર્લર ચલાવે છે તેઓએ બ્યુટી પાર્લર ક્લાસમાં આવતા તમામ લાભાર્થી બહેનોને બે માસમાં સંપૂર્ણ બ્યુટી પાર્લર શીખવાડી તૈયાર કરવામાં આવ્યા અને તે અનુસંધાને સર્ટિફિકેટ અને બ્યુટી પાર્લર કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય પ્રવૃત્તિમા ગંગા સ્વરૂપ...
મોરબી: મોરબીમા મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હંમેશ જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવામાં આવતી હોય છે ત્યારે વિકલાંગ વ્યક્તિઓને ચાર વ્હીલચેર વિતરણ કરવામાં આવી હતી.
મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી માટે 22મી સપ્ટેમ્બર, 2024 એક મહત્વપૂર્ણ દિવસ હતો કારણ કે તેઓએ વિકલાંગ વ્યક્તિઓને 4 વ્હીલચેરનું વિતરણ કર્યું હતું. આ નિઃસ્વાર્થ કાર્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને...