ખોખરા હનુમાન ધામ ખાતે શ્રી રામ કથાનું રસપાન કરતા ભક્તો
કથાના વક્તા માં કનકેશ્વરીદેવીના શ્રી મુખે આજે ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે
👉 કથા સાંભળવાથી ધર્મનિષ્ઠા જાગે છે.
👉 અંતઃકરણની અવસ્થા ધર્મમયી બને ત્યારે રામ પ્રગટે.
👉 અંતઃકરણમાં અયોધ્યાનું નિર્માણ સદગુરુ કરે છે ત્યારે રામ પ્રગટ થાય છે.
👉 સૌથી મોટુ દાન સદવિચાર નું દાન છે.
👉 સાધુ સંતો વ્યવસ્થા થી પ્રભાવિત નથી કરતા તેમની ચિત્તની અવસ્થાથી પ્રભાવિત થવાય છે.
👉મનના મૌનમાંથી નીકળતી ધારા રામકથા છે.
👉 કથાથી ભગવદ્ દર્શન કરવાની આતુરતા જાગે છે.
👉 રામ કથાથી ભક્તિ વધે છે.