ગઇ કાલે તારીખ 09-08-22 ના રોજ પડધરી તાલુકાના ખોડાપીપર ગામે ટંકારા પડધરી ના ધારાસભ્ય શ્રી લલિતભાઈ કગથરા દ્વારા પોતાની ગ્રાન્ટ માં થી ખોડાપિપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા અદ્યતન એમ્બ્યુલન્સ આપવા મા આવી હતી.લલિત ભાઈ એ કોરોના જેવી મહામારી કે અન્ય આપદા આવે તો લોકો ને મુશ્કેલી પડે નહિ એટલા માટે એમ્બ્યુલન્સ આપવાનો નિર્ણય કર્યો હતો.
આ એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગ અને સર્વ ગ્રામજનોએ લલીત ભાઈ કગથરા તથા ડોક્ટર ડાયાભાઈ પીપળીયા ને સન્માનિત કરવા માં આવ્યા હતા અને હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અર્જુનભાઈ ખાટરિયા એ ધારાસભ્ય લલીતભાઇ કગથરાની કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે જયંતી ભાઈ જે પટેલ, ઘનુભા જાડેજા, ભાણુભા ભાઈ,અવચર ભાઈ, ભરત ભાઈ તળપદા, હેમુભા બાપુ, ગીરુભા જાડેજા, વસંત ભાઈ ગઢીયા, રમણીકભાઇ પટેલ, જેરાજ ભાઈ વૈષ્ણવ,ઇલા બેન કગથરા, નયન ભાઈ અઘારા, કે ડી પડસુંબિયા, હિરેન ભાઈ તથા સહકારી આગેવાનો અને ટંકારા/ પડધરી તાલુકાના વરીષ્ઠ આગેવાનો અને ગ્રામ્ય જનો ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતા. અશ્વિન ભાઈ ગઢીયા દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનુ અને શ્રીમદ રાજચન્દ્રજીનુ જન્મ સ્થળ વવાણીયાની પણ અનેક પ્રવાસીઓ લે છે મુલાકાત
દેશ અને દુનિયામાં સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ અને બરફના ગોલાથી સુપ્રસિધ્ધ મોરબી જિલ્લામાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા આવેલ છે. જયા વૈદિક ધર્મનું અભ્યાસ કેન્દ્ર ચાલે છે. મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ...
શ્રી પાલણપીરના મેળા અન્વયે ટ્રાફિક નિયંત્રણ માટે ૨૬ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન જાહેરનામુ અમલી
મોરબી જિલ્લામાં હડમતીયા ગામે શ્રી પાલણપીર મંદિર ખાતે ભાદરવી વદ નોમ, દશમ અને અગિયારસ એટલે કે તા. ૨૬/૦૯/૨૦૨૪ થી તા.૨૯/૦૯/૨૦૨૪ દરમિયાન મેઘવાળ સમાજ દ્વારા પૌરાણિક મેળો યોજાતો હોય છે. આ મેળામાં અંદાજિત ૫૦૦૦ માણસો એકઠા થઈ...
મોરબી જિલ્લામાં ગ્રામીણ માર્ગો પર વાહન વ્યવહાર સુલભ બને તે માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અનેક ગ્રામીણ માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
ગ્રામીણ પરિવહન સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા એ જિલ્લાના સુદ્રઢ આંતરમાળખાનું મહત્વનું પરિબળ છે. ત્યારે મોરબી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોને એકબીજા સાથે જોડતા ગ્રામ્ય વિસ્તારના...