મોરબી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મોરબી માળિયા બેઠક પરથી કાંતીભાઇ અમૃતીયા અને વાંકાનેર બેઠક પરથી જીતુભાઈ સોમાણીની ટીકીટ ફાઈનલ કરવામાં આવે અને બંને સિટો પર ભાજપ વિજેતા બને તેવી ભાજપના ટેકેદારો અને સમર્થકો દ્વારા વાંકાનેર તાલુકામાં આવેલાં ખોડીયાર માતાજીના મંદિરે ૫૨ ગજની ધ્વજા ચઢાવવાની માનતા રાખી હતી
જે માનતા આજે ભાજપના ટેકેદારો અને સમર્થકો દ્વારા પુરી કરવામાં આવી હતી ત્યારે ભાજપના મોરબી માળિયા બેઠકના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા અને વાંકાનેર બેઠકના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર સમયમાં મોરબી જીલ્લામાં લોકોની પ્રાથમિક સુવિધાઓ વધારો થાય તે પ્રકારના કામગીરી કરવા માટે ચુંટાયેલા ધારાસભ્યોએ ખાતરી આપી હતી.આવી જ રીતે મોરબીમાં નવા ડેલા મિત્ર મંડળના ચંદ્રેશભાઇ અને ડો. દિલીપભાઈ દ્વારા માટેલ ખોડીયાર મંદિરે ૫૨ ગજની ધજા ચઢાવવાની માનતા રાખી હતી જે આજરોજ વાંકનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડીયાર મંદિર ખાતે પૂરી કરવામાં આવી છે ત્યારે કાંતિભાઈ અમૃતિયા અને જીતુભાઈ સોમાણી બંને ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.૨૩/૦૪/૨૦૨૫ બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે અને તા.૨૪/૦૪/ ૨૦૨૫ ગુરુવારના રોજ મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે સવારે ૯-૩૦ વાગ્યાથી...
મોરબી મહાનગરપાલિકા ખાતે વેરો ભરવા માટે આવતા શહેરીજનો સર્વરના ધાંધીયાના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે. પોતાનો કિંમતી સમય કાઢીને વેરો ભરવા આવતા લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્ય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ઘણા દિવસોથી વેરા વસૂલાત કામગીરી કરવામાં આવી રહી છે. અને વેરો ભરવાનો બાકી હોય તેવા આસામીઓને વેરો ભરી...