Friday, September 27, 2024

ગાંધીનગર CMના શપથગ્રહણમાથી પરતા ફરતા મોરબી ભાજપના આગેવાનોની કાર પર પથ્થરમારો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: રાજ્યમાં ચુંટણી પૂર્ણ થયા બાદ આજે મુખ્યમંત્રી અને મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો હતો જે કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરતી વેળાએ મોરબી ભાજપના આગેવાનોની કાર પર પથ્થરમારો થયો હતો.

મોરબી ભાજપ અગ્રણી હસુભાઈ સોરીયા અને ચિરાગ કણઝારીયા આજે ગાંધીનગર ગયા હતા અને કાર્યક્રમમાં હાજરી આપી તેઓ પોતાની કારમાં પરત આવતા હોય ત્યારે હળવદના સુંદરગઢ ગામ નજીક તેની કાર પર ત્રણથી ચાર ઇસમોએ પથ્થરમારો કર્યો હતો જે પથ્થરમારાની ઘટનામાં સદનસીબે બંને આગેવાનોને કોઈ ઈજા પહોંચી નથી બંને સુરક્ષિત છે

તો પથ્થરમારો લુંટના ઈરાદે કરવામાં આવ્યો હતો કે અન્ય કાઈ તે સ્પષ્ટ થયું નથી જોકે ભાજપ આગેવાનોએ આ રસ્તેથી આવનાર વાહનચાલકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર