Tuesday, September 24, 2024

કમલમ્ ખાતે 2 જૂને હાર્દિક નું હાર્દિક સ્વાગત ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હાર્દિકને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે!

ગાંધીનગર: 17 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ આવતીકાલે૨/૬/૨૦૨૨ના રોજ ભાજપમાં સામેલ થશે. પાટીદાર આંદોલનથી હીરો બનેલા હાર્દિક પટેલે ભાજપ અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને લઈ અશોભનીય શબ્દો ઉચ્ચાર્યા હતા. ભાજપ સરકારને ઉથલાવવા બેફામ નિવેદનો અને આક્ષેપો કરી આંદોલન કરનારા અને કોંગ્રેસનો પંજો છોડી કમળ પકડનારા હાર્દિકના ભાજપ પ્રવેશની તારીખ અને સમય સામે આવતાં જ ભાજપના નેતાઓમાં ગણગણાટ શરૂ થયો છે.


ભાજપના ઘણા નેતાઓ કહી રહ્યા છે કે, હાર્દિકના ભાજપ પ્રવેશથી તેમના કાર્યકરોની દયા આવી રહી છે. જેમની સામે આંદોલન કર્યું તેમના માટે હવે ખુરશી સાફ કરવી પડશે. ભાજપ કાર્યકરોએ હવે હાર્દિકને કમને સાહેબ કહેવું પડશે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાટીદારોને રીઝવવા માટે હાર્દિક પટેલ ભાજપ માટે મોટો રોલ ભજવી શકે છે. ભાજપ હાર્દિકને મોટી જવાબદારી સોંપી શકે છે. હાર્દિકનું સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને ભાજપથી રીસાયેલા પાટીદારોને મનાવવા માટે ભાજપે આગામી એક્શન પ્લાન ઘડી લીધો છે. ભાજપ હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપીને પાટીદારોને પોતાના તરફેણમાં કરી શકે છે. જોકે તેના કારણે ભાજપના પાયના કાર્યકરો અને નેતાઓમાં ઉકળતો ચરુ છે પણ પક્ષની મર્યાદાના કારણે ખુલ્લેઆમ વિરોધ નથી કરી રહ્યા.
કેટલાંક નેતાઓ એવું પણ કહી રહ્યા છે કે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હાર્દિકને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે. તેના પાટીદાર આંદોલનના સાથી વરૂણ પટેલ ભાજપમાં છે તેની હાલત જોવા જેવી છે, જ્યારે રેશમા પટેલ ભાજપ છોડીને એનસીપીમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાંથી આવેલા ઘણા નેતાઓનો ઉપયોગ કરી લીધા બાદ તેમને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા છે, હાર્દિક સાથે પણ આવું જ થશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર