ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈ, નાણાકીય વર્ષ 2022-2023નું અંદાજપત્ર રજૂ કર્યુ છે. ગુજરાતની વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે. નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની કારકિર્દીનું પ્રથમ બજેટ, ગુજરાત વિધાનસભા ગૃહ સમક્ષ રજૂ કર્યુ છે.જેમાં મોરબીમાં રૂપિયા 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાના સિરામીક પાર્કના નિર્માણની જાહેરાત કરવામાં આવિ છે.
ગુજરાત સરકારના નાણામંત્રી દ્વારા આજે વિધાનસભામાં રૂપિયા ૨ લાખ ૪૩ હજાર ૯૬૫ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ ૭૦૩૦ કરોડની જોગવાઇ ટેક્ષટાઇલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇન પૈકીના ખાસ ક્ષેત્રોને મજબૂત કરવા માટે જોગવાઇ રૂ ૧૪૫૦ કરોડ બાજપાઇ બેન્કેબલ યોજના અન્વયે અંદાજે ૩૭ હજાર લાભાર્થીઓને ધિરાણ માટે વ્યાજ સહાય આપવા જોગવાઇ રૂ ૨૩૮ કરોડ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂ ૧૪,૨૯૭ કરોડની જોગવાઇ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ નગરપાલિકાઓમાં ૭૫ ઓપન જીમયુકત ગાર્ડન બનાવવા માટે જોગવાઇ રૂ ૫ કરોડ મહાનગરપાલિકાઓમાં મેટ્રોરેલ અને મેટ્રોલાઇટની સેવાઓ પૂરી પાડવા માટે જોગવાઇ રૂ ૭૨૨ કરોડ.સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત યોજના હેઠળ જોગવાઇ રૂ ૨૨૪ કરોડ વર્લ્ડ બેન્ક સહાયિત ગુજરાત રેઝિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાના રૂ ૩ હજાર કરોડના માળખાકીય સુવિધાઓ અંગેના પ્રોજેક્ટને મંજૂરી સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદ કોલેજ શરૂ કરવા માટે રૂ.૧૨ કરોડની જોગવાઈ બિલિમોરા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના બાંધકામ માટે રૂ. ૧ કરોડની જોગવાઈ કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ ન નોંધાયેલ લોકો પણ હવે સરકારી હોસ્પિટલના ધોરણે નિ:શુલ્ક દવાઓ મેળવી શકે તે માટે રૂ ૫ કરોડની જોગવાઈ કરવમાં આવી હતી
આજે સીમા જાગરણ મંચ મોરબી દ્વારા "રાષ્ટ્ર આરાધન" વિષય પર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગના માનનીય સંઘચાલકજી ડો. સંજીવભાઈ ઓઝા તેમજ આ કાર્યક્રમમા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા મોરબી જિલ્લાના DYSP પ્રતિપાલસિંહ ઝાલા, તેમજ જયદિપ એન્ડ કંપનીના દિલુભા જાડેજા અને રાષ્ટ્રીય...
મોરબી: મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ-૦૮ ઇસમો પાસેથી કુલ-૯ હથિયાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી મોરબી એસ.ઓ.જી. પોલીસે હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં અમુક ઇસમો જેમના વિરુધ્ધ મોરબી જિલ્લામાં તથા આજુબાજુના જિલ્લામાં ગુનાઓ દાખલ થયેલ છે અને આવા ઇસમોને મોરબી જિલ્લામાંથી કલેકટર તથા ગુજરાત રાજ્યમાંથી...
મોરબી શહેરના મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-1 પ્રકારના નિર્માણ થયેલ કુલ-૬૮૦ આવાસ પૈકી ૩૫ આવાસ સ્વેચ્છીક/રદ્દ થઈને ખાલી પડેલ છે તેનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનું થાય છે.
જેના માટે મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટીસ બોર્ડ ઉપર ડોક્યુમેન્ટ લીસ્ટ અને વેઈટીંગ લીસ્ટ લાભાર્થીની નામાવલી પ્રસિદ્ધ કરેલ...