Saturday, September 21, 2024

હળવદ માં બેફામ બનેલા વ્યાજખોરો સામે એક વેપારીએ જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં વ્યાજખોરો દ્વારા તગડા વ્યાજે નાણાં ધરી બાદમાં વ્યાજે લિધેલા નાણાં પરત ન આપી શકતાં આવાં લોકો ની જમીન મકાન અને મિલ્કતો પચાવી પાડવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે અને આવા કિસ્સાઓમાં મોટા ભાગે પોલીસ ફરિયાદ કરવામાં ન આવતી હોય વ્યાજખોરો બેફામ બની તગડું વ્યાજ વસુલતા રહેછે અવાજ એક કિસ્સામાં હળવદ પોલીસ દફતરે એક વેપારીએ ૧૫ જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે

મળતી માહિતી મુજબ હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ હિમતલાલ શેઠ એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી લગધીરભાઈ રબારી, વિજયભાઈ રધુભાઇ રબારી, હિરેનભાઈ પટેલ, વસંતભાઈ મોરી હળવદ ગોરી ગેસ એજન્સીના ભાગીદાર, તેજસભાઈ દવે જી માર્ટ ફર્નીચર હળવદ, જયરામભાઈ દલવાડી, પ્રભુભાઈ રબારી, જીલાભાઈ ભરવાડ, હર્ષદભાઈ રબારી, રવિભાઈ રબારી, મુકેશભાઈ ભરવાડ, મનોજભાઈ રબારી, લખમણભાઈ ભરવાડ, ભરતસિંહ ગોહિલ અને કિરણભાઈ બ્રાહ્મણ પાસેથી જુદી જુદી રકમ અને જુદા જુદા વ્યાજદરે નાણા લીધેલ હોય જે નાણાની આરોપીઓએ ગેરકાયદેસર ઉચું વ્યાજ વસુલવા વધુ વ્યાજની પઠાણી ઉધરાણી કરી ફરિયાદી હિતેશભાઈ શેઠને રૂબરૂ તેમજ ફોનમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર