હળવદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી જાણે પોલીસ ને ખુલ્લી ચેલેન્જ આપતાં હોય તેમ તસ્કરો તરખાટ મચાવી ચોરી લુંટ જેવા બનાવો ને અંજામ આપી રહ્યા છે
છે ત્યારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ખાસ વિશેષ ટીમની રચના કરી છે જેમાં એલસીબી, એસઓજી અને હળવદ સ્થાનિક પોલીસના ચુનંદા જવાનો આજથી જ બતમીદારોની મદદથી કામે લાગી ગયા છે, આજે હળવદ પોલીસે તાલુકાના તમામ સરપંચો સાથે પણ બેઠક યોજી પડકાર જનક સ્થિતિમાં પ્રજાનો સહયોગ માંગ્યો છે.
હળવદ જીઆઇડીસીની દુર્ઘટના બાદ હળવદ તાલુકા સતત ચર્ચામાં રહ્યો છે. ઘરફોડ ચોરીની ઉપરા છાપરી ઘટનાઓ બાદ એક સાથે પાંચેક કારખાનામાં ત્રાટકેલી લૂંટારું ગેંગે આંતક મચાવ્યાની ફરિયાદ નોંધાઈ ન નોંધાઈ ત્યાં નિંદ્રાધીન સગીરાનો ચોટલો કાપી જવાની ઘટના અને એ જ દિવસની સાંજે હળવદમાં વેપારી એવા બે સગાભાઈઓના ઘરમાં લાખોની ચોરી કરી તસ્કરોએ પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ આપતાં હોય તેમ પડકાર રાત્રીના કવાડિયા ગામે ચોરીને અંજામ આપી લાખો રૂપિયાના સોના – ચાંદીના દાગીના ઉઠાવી જતા આ તસ્કર ગેંગને ઝડપી લેવા જિલ્લા પોલીસવડાની સૂચનાથી ખાસ ટીમની રચના કરવામાં આવી છે.
વધુમાં આજે હળવદ પોલીસ મથક ખાતે તાલુકાના તમામ ગામોના સરપંચોની મહત્વપૂર્ણ બેઠક યોજી પોલીસ ટીમ દ્વારા તસ્કરોને ઝડપી લેવા પ્રજાજનોને જાગૃત બની સહયોગ આપવા અનુરોધ કરી શંકાસ્પદ ઈસમો જોવા મળ્યે તાકીદે પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો.
વિશેષમાં આજે જીલ્લા પોલીસ વડાની સૂચનાથી હળવદ તાલુકામાં તસ્કરોને ઝડપી લેવા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસના ચુનંદા જવાનોની વિશેષ ટીમ બનાવી આજથી જ કામે લગાડવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા હળવદ તાલુકાના યુવાનોને પણ જાગૃત રહી પોલીસને મદદરૂપ થવા અનુરોધ કરાયો હતો
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ વેજીટેબલ રોડ પર ઝઘડો કરી યુવક એક શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો જ્યા સારવારમાં યુવકનું મોત નિપજતા બનાવ હત્યામા પલટાયો હતો. તેમજ એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ શામજીભાઈ પોપટભાઈ ચાવડા (ઉંમર 38) રહે ધરમપુર (મૃતક) તથા જગદીશભાઈ...
મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હળવદ તાલુકાના ચરાડવા ખાતે લોકોને નોન વોવેન બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા એ આપણા સંસ્કાર છે અને તે આપણી રોજીંદી ટેવોમાં વળાઈને આપણો સ્વભાવ બને તે માટે આ વર્ષે સ્વચ્છતા...
સ્વચ્છતા હી સેવા અભિયાન જનવ્યાપી બની રહ્યું છે ત્યારે મોરબીમાં વિદ્યાર્થીઓ દ્વારા લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવાના હેતુથી માનવ સાંકળ રચવામાં આવી હતી.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતાથી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં વધુને વધુ પ્રમાણમાં જન ભાગીદારી નોંધાય વિવિધ સંસ્થાઓ અપેક્ષિત મંડળો તેમજ...