હળવદ મામલતદાર ના અનુદાનથી હળવદ 3 પ્રાથમિક શાળામાં તિથીભોજન, મામલતદારે બાળકો સાથે ભોજન લીધુ
કોરોના મહામારીને પગલે લગભગ બે વર્ષ જેટલો સમય બંધ રહ્યા બાદ મધ્યાહ્ન ભોજન શરુ કરાયું છે ત્યારે હળવદ મામલતદારે બાળકો સાથે બેસી ભોજન લીધું હતું, સમાજ ને એક નવો રાહ ચિંધ્યો હતો.હળવદ મામલતદાર એન એસ ભાટીના અનુદાનથી ૩ પ્રાથમિક શાળામાં તિથીભોજનથી પીએમ પોષણ (મધ્યાહન ભોજન યોજના) ની કોરોના કાળ બાદ અંદાજે ૭૦૦ દિવસ પછી પુનઃ શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે હળવદ મામલતદાર ને.એસ. ભાટી એ બાળકો સાથે બેસી ભોજન લીધું સમાજ ને નવો રાહ ચિંધ્યો હતો.
મોરબી જિલ્લામાં આજરોજ વાંકાનેર ખાતે વાંકાનેર તાલુકા હેલ્થ કચેરી, GCRI - અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર - રાજકોટના સંયુક્ત ઉપક્રમે કેન્સર અંગેના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્સર જાગૃતિ માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કેન્સર અંગેના જુદા...
એકી તારીખે રોડની ડાબી બાજુએ અને બેકી તારીખે રોડની જમણી બાજુએ પાર્કિંગ કરવાનું રહેશે; ૧૫ નવેમ્બર સુધી જાહેરનામું અમલી
મોરબીની સુધારા વાળી શેરી સરદાર રોડ માં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગ ઉપરાંત બે બેંક સમાજવાડી સ્કૂલ અને જથ્થાબંધ સામાનના વિક્રેતા આવેલા હોવાથી નાના મોટા વાહનો રોડની બંને બાજુ અવ્યવસ્થિત પાર્કિંગ...
અગાઉ અધિકારીઓની મુલાકાતમાં મળેલા પ્રશ્નોમાંથી ૧૫૦નો હકારાત્મક નિકાલ : અન્ય પર કાર્યવાહી પ્રગતિ હેઠળ
આજે ઉચ્ચ અધિકારીઓ મોરબી જિલ્લાના ૯ ગામડાઓની મુલાકાત લઈ લોકોને મળતી સવલતો અને તેમની સમસ્યાઓની સમીક્ષા કરશે
લોકોની સુખ સુવિધા વધારવા અને ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓની નિયમિતતા સુનિશ્ચિત કરવા કલેક્ટર કે.બી. ઝવેરીનો આદેશ
મોરબી જિલ્લામાં જરૂરી સેવાઓ અને સવલતોથી...