વિવિધ વિષયના 9 નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓની ભવિષ્યની કેડી કંડારવાનો પ્રયત્ન કર્યો
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યુથ કાઉન્સિલની ટીમે આ સેમિનારનું આયોજન કર્યું હતું.
તા. 11/06/22ને શનિવારના રોજ વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે બપોરે 3.30થી 7 કલાક સુધી કારકિર્દી માર્ગદર્શનના સેમિનારનું આયોજન કરાયું હતું. ધોરણ 10 અને 12 ઉતીર્ણ કરી આગળનો અભ્યાસ કઈ સ્ટ્રીમમાં લેવો જોઈએ અને ક્યાં વિષયમાં વિદ્યાર્થીઓ નિપૂણ છે તે અંગે આ સેમિનારમાં માર્ગદર્શન અપાયું. આ સેમિનારમાં રાજ્યના ખ્યાતનામ 10 જેટલાં એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો આ સેમિનારમાં 500થી વધુ વિદ્યાર્થી અને વાલીઓએ ભાગ લીધો હતો. મહત્વપૂર્ણ રીતે આ કાર્યક્રમમાં એક્સપર્ટ દ્વારા બાળકોના ભવિષ્યની કેડી કંડારવા અંગે વિવિધ 9 વિષય પર પ્રકાશ પાડ્યો હતો. સેમિનાર બાદ સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓએ જગત જનની મા ઉમિયા મહાઆરતીનો લાભ લીધો. ગત્ત રોજ ભીમ અગિયાર હોવાથી માતાજી કેરીનો સણગાર ચડાવાયો હોય દર્શનાર્થીઓએ તેનો લાભ લઈ ધન્યતા પણ અનુભવી હતી.
વિષયવાર નિષ્ણાંત લિસ્ટ
1.GPSC અને UPSC (સ્પર્ધાત્મક પરિક્ષાઓ) – ડૉ. દેવાંગભાઈ દવે
2.ધોરણ-૧ર સાયન્સ પછી શું ? (મેડિકલ તથા અન્ય A/B ગ્રુપ)- ડૉ. ઉમેશભાઈ ગુર્જર
3 નર્સિંગ અને પેરા મેડિકલ- પંકિતભાઈ પટેલ
4.ધોરણ-૧ર સામાન્ય પ્રવાહ પછી શું ?- ડૉ. રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય
5.ધોરણ-૧ર પછી CA/ CS અને પ્રોફેશનલ કોર્ષ- CA સાજનભાઈ પટેલ
6. વિદેશ અભ્યાસ અને માર્ગદર્શન- હિરેનભાઈ સાકરીયા
7. બેન્કિંગ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ- હિમાંશુભાઈ ઠક્કર
8. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન- ડૉ. વસંતભાઈ એ. ધોળુ
9. જર્નાલીઝમ અંગે માર્ગદર્શન – ધવલ માકડીયા
મોરબીના બેલા ખાતે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે કથામાં બાબા બાગેશ્વર પધાર્યા હતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મોરબી આવ્યા હતા જેઓએ ભક્તોને ધૂન બોલાવી હતી તો હિન્દુત્વ વિષે અનેક વાતો કરી હતી
બાબા બાગેશ્વરે મોરબીના ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગ અંગે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ સમયની નગરીમાં આવ્યા છે...
હળવદ: હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના આશરે ૫ તોલા કિ.રૂા. ૧,૯૦,૦૦૦/-ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી તમામ મુદામાલ હળવદ પોલીસ દ્વારા રીકવર કરવામાં આવ્યો છે.
હળવદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વોચમાં રહી અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરી આરોપીને શોધી કાઢવા હળવદ...
હળવદ: હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા સાત આરોપીઓને રોકડ રકમ રૂા.૨,૩૦,૩૦૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમીના આધારે નવા ઘનશ્યામગઢ ગામે વિનોદભાઇ ચંદુભાઇ પટેલના ઘર પાસે જુગાર અંગે રેઇડ કરી સાત ઇસમો બાલુભાઇ ગોરધનભાઈ સુરાણી રહે. નવા ઘનશ્યામગઢ ગામ,...