સરકારી યોજનાઓ દ્વારા રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનમાં ગરીબ પરિવારને સસ્તું રાશન વિતરણ કરવામાં આવે છે.
અને સસ્તા અનાજની ફાળવણી માં ઠાગાઠૈયા ની વારે ઘડીએ ફરીયાદો સાભળવા મળતી હોય છે ત્યારે મોરબી જિલ્લામાં ખાસ મોરબી શહેર વિસ્તારમાં સસ્તા અનાજ દુકાનના સંચાલકો દ્વારા કાર્ડ ધારકોને સમયસર રાશન આપતા ન હોવાની,દુકાન બહાર કાર્ડ ધારકોને મળવા પાત્ર રાશનની વિગત ન લખવામાં આવતી હોવાનું ,ગ્રાહકોને મળવાપાત્ર રાશનના જથ્થાનું પાકુ બીલ આપવામાં આવતું ન હોવાની ફરિયાદ ઉઠી છે ઘણા દુકાનદાર મળવા પાત્ર જથ્થા કરતા ઓછો જથ્થો આપી રહ્યા છે તો કેટલાક દુકાનદાર બીલ કરતા કાર્ડ દીઠ 5 રૂપિયા વધારે લઇ રહ્યા છે.
રાજ્યભરમાં વન નેશન વન રાશન કાર્ડ અંતર્ગત કોઈ પણ દુકાનેથી રાશન કાર્ડ થી પોતાનું રાશન ખરીદિ શકે તેવી સરકારની જાહેરાત બાદ પણ દુકાનદાર તેની અમલવારી કરતા નથી સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલક માત્ર સોમવારે જ રજા રાખી શકે છે તેવી જોગવાઈ હોવાં છતા દુકાનદાર પોતાની મરજી મુજબ દુકાન ચાલુ બંધ રાખી રહ્યા છે.તેમજ દુકાનદાર જાણે પોતાના ઘરનું રાશન આ પરિવારને આપતા હોય તેવો રોફ જમાવી અપમાનિત કરી રહ્યા છે. આં બાબતે મોરબીના સામાજિક કાર્યકર રજુ દવે જીગ્નેશ પંડયા,જગદીશ બામભાણીયા મુસાભાઈ તેમજ અશોક ખરચરિયા સહિતનાએ જીલ્લા કલેકટર તેમજ જિલ્લા પુરવઠા અધિકારીને પત્ર લખી સમયાતરે સરપ્રાઈઝ ચેકિંગ કરવા માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત તેમજ જેટલી પણ દુકાન ચાર્જમાં ચાલે છે તે દુકાન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે જેથી જ ચાર્જમાં ચાલતી દુકાન નિયમિત ખુલે અને તેનો લાભ લોકોને મળે તેવી માગણી કરવામાં આવી છે.
વહિવટી તંત્રના તમામ વિભાગોને લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરતા કલેક્ટર
મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. મોરબી જિલ્લામાં નાગરિકોને કોઈ સમસ્યા ન પડે, જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં ગતિશીલતા અને ઝડપ લાવવા કલેક્ટરએ જણાવ્યું...
મોરબી: મોરબી તાલુકાના જેપુર ગામે પાંચ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર મધ્યપ્રદેશના આંતરરાજય આદીવાસી ગેંગના એક આરોપીને રોકડા રૂપીયા-૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકાના જેપુર ગામે થોડા દિવસ પહેલા કુવરજીભાઇ મહાદેવભાઇ કાવઠીયાના તથા અલગ અલગ કુલ-૦૪ મકાનમાં કોઇ અજાણ્યા ઇસમોએ મકાનના દરવાજાના...
મોરબી: જામનગરમા આવેલ પ્રસીધ્ધ વ્હોરાના હજીરામા આવેલ દરગાહની અંદર આવેલ દાનપેટી તોડી કરેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે બે ઈસમોને મોરબી નવલખી ફાટક પાસેથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન સર્વેલસ સ્ટાફને...