મોરબીમાં ખનીજ ચોરી મા માત્ર ખાણ ખનીજ વિભાગની જવાબદારી હોય તેમ ખાણ ખનીજ વિભાગ ખનીજ ચોરી પકડે છે. પણ તેમની સતત જાસુસી થતી હોય ખાણ ખનીજ વિભાગ નાં અધિકારીઓ ખનીજચોરી કરનારાઓ પાસે પહોંચે તે પહેલા જ આવી જાસુસી કરતા લોકો ખનીજ ચોરોને જાણકારી આપે છે.
પરંતુ ગઈકાલે રાત્રે આવી જાસુસી કરનારાઓની આંખમાં ધૂળ નાખીને ખાણ ખનીજના અધિકારીએ ખનીજ ભરેલા પાસ પરમીટ વગર ના બે ડમ્પર પકડી પાડયા છે.પ્રાપ્ત થયેલી વિગત મુજબ ગઈ કાલની રાત્રે તારીખ ૨-૬-૨૦૨૨ ના રોજ ખાણ ખનીજ વિભાગ ની ટીમ નાં રોયલ્ટી ઇન્સ્પેકટર રવીભાઈ કણસાગરા, ગોપાલભાઈ ચંદારાણા, મિતેશભાઈ ગોજીયા, ગોપાલભાઈ સુવા દ્વારા ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલું અને તે દરમ્યાન માળિયા ફાટક ના બ્રિજ પર થી એક ડમ્પર કાબ્રોસેલ ખનીજ ભરેલ અને એક ડમ્પર ફાયરકલે ખનીજ ભરેલા હતા તેના ચાલક પાસેથી રોયલ્ટી પાસ વગર વાહન હોય બન્ને ડમ્પર નેં પકડીને મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથકે રાખવામાં આવેલ છે. મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ ના સરકારી વાહન ની પાછળ સતત ઇકો ગાડી થી જાસુસી કરવા અને વોચ રાખવા પૈસા લઈ વોટ્સએપ ગ્રૂપ ચલાવે છે. અને સરકારી ગાડી નું સતત લોકેશન આપે છે જેથી સરકારી ગાડી ખનીજ ચોરો પાસે પોહચે એ પહેલા જ તેઓ ભાગી જાય છે અને રેડ નિશફળ જાય છે અને ખનીજ ચોરો ને પ્રોત્સાહન મળે છે. અને ખનીજ ચોરી ચાલુ રહે છે. અને સરકારની તિજોરીની રોયલ્ટી ની આવકનું કરોડો નું નુકસાન જાય છે. અને ખાણ ખનીજ ના અધિકારીઓને જીવના જોખમે ખાનગી વાહનમાં ચેકીંગ કરવાની ફરજ પડે છે.
અહીં એ વાત જણાવી દઈએ કે ખનિજ ચોરી બંધ કરાવવા માટે ની જવાબદારી તાલુકા લેવલે મામલતદાર અને તાલુકા પોલીસ અધિકારી ની જવાબદારી છે. જિલ્લા કક્ષાએ કલેકટર, પોલીસ અધિક્ષક, અને ખાણ ખનીજ વિભાગ, તેમજ તે પ્રમાણે રાજ્ય લેવલે જવાબદારી નાખવામાં આવી છે. પણ મોટેભાગે ખાણ ખનીજ વિભાગ નેં બાદ કરતાં એક પણ અધિકારી ની ઠોસ કામગીરી નથી તેવુ જોવા મળે છે.
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ વેજીટેબલ રોડ પર ઝઘડો કરી યુવક એક શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો જ્યા સારવારમાં યુવકનું મોત નિપજતા બનાવ હત્યામા પલટાયો હતો. તેમજ એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ શામજીભાઈ પોપટભાઈ ચાવડા (ઉંમર 38) રહે ધરમપુર (મૃતક) તથા જગદીશભાઈ...
મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હળવદ તાલુકાના ચરાડવા ખાતે લોકોને નોન વોવેન બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા એ આપણા સંસ્કાર છે અને તે આપણી રોજીંદી ટેવોમાં વળાઈને આપણો સ્વભાવ બને તે માટે આ વર્ષે સ્વચ્છતા...
સ્વચ્છતા હી સેવા અભિયાન જનવ્યાપી બની રહ્યું છે ત્યારે મોરબીમાં વિદ્યાર્થીઓ દ્વારા લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવાના હેતુથી માનવ સાંકળ રચવામાં આવી હતી.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતાથી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં વધુને વધુ પ્રમાણમાં જન ભાગીદારી નોંધાય વિવિધ સંસ્થાઓ અપેક્ષિત મંડળો તેમજ...