Sunday, September 29, 2024

મોરબી: મહેન્દ્રપરામા મહાકાળી માતાજીના મંદિરમાંથી રૂ.1લાખ 40હજારની કિંમતના સોના-ચાંદીના છતરની ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના મહેન્દ્રપરામા મહાકાળી માતાજીના મંદિરમાંથી 1 લાખ 40 હજારની કિંમતના સોના-ચાંદીના છતરની ચોરી કોઈ અજાણ્યો ચોર ઇસમ કરી ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી એક શખ્સની અટક કરેલ છે.

મળતી માહિતી મુજબ મોરબી સરદારબાગ પાછળ શીવમ હાઇટસ બ્લોક નં -૫ માં રહેતા દિનેશભાઇ મોતીલાલ ભોજાણી (ઉ.વ.૭૦)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૧૨-૨૦૨૨ થી ૨૮-૧૨-૨૦૨૨ દરમ્યાન કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમએ આ કામના ફરીયાદીના મહાકાળી માતાજીના મંદીરના દરવાજાના તાળા તોડી મંદીરમા માતાજીની મુર્તી ઉપર ચડાવવામા આવેલ સોનાના ત્રણ છતર કિ.રૂ. ૧,૩૨૦૦૦/- તથા ચાંદીના નાના મોટા આઠ છતર કિ.રૂ.૮૦૦૦/- મળી કુલ કી રૂ.૧,૪૦૦૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ ગયો હવાની દિનેશભાઇએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી દિનેશભાઇ પુંજાભાઈ ટુંડીયાની અટક કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર