મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ -27 ઉપર આવેલ કેડા કારખાનાથી ભરતનગર બાજુ રોડ ઉપર ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આ બનાવમાં અંગે ફોર્ચ્યુનર કારના માલિકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં અવની ચોકડી શ્યામ પાર્ક, રવાપર રોડ પર આવેલ સ્વર્ગ એપાર્ટમેન્ટમાં રહેતા ચીરાગભાઈ લાલજીભાઇ સગપરિયા (ઉ.વ.૩૩) એ આરોપી કમલસિંગ સરદારસિંગ રાજપુત (ઈ.વ.૨૬) રહે. અજમેર રાજસ્થાન વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૧૦-૨૦૨૨ ના રોજ આશરે બારેક વાગ્યાની આસપાસ મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ -27 ઉપર આવેલ કેડા કારખાનાથી ભરતનગર બાજુ રોડ ઉપર આરોપી પોતાના હવાલાનુ ટાટા કંપનીનુ ટ્રક જેની પાછળની બાજુએ કંટેનર રાખેલ છે જેના રજી નં- GJ-12-BT-9614 વાળુ વાહન માણસોની જીંદગી જોખમાય તેમ પુ૨ ઝડપે ભયજનક અને ગફલત ભરી રીતે બેફીકરાયથી ચલાવી આવી ફરીયાદીની સફેદ કલરની ટોયોટા ફોર્ચ્યુનર લીજેંડર કાર રજીસ્ટર નં- GJ-03-MH-5867 વાળીને ડ્રાઈવર સાઈડ જમણી બાજુએ અકસ્માત સર્જીયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ બનાવ અંગે ચીરાગભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC કલમ-૨૭૯ MV ACT કલમ-૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી એસટી ડેપોમાં ડ્રાઈવર અને કન્ડક્ટરની ઘક સર્જાતા મોરબી જીલ્લામાં તમામ ગામડાઓમાં રૂટ અનિયમિત થઈ ગયેલ છે જેથી આ રૂટ તાત્કાલિક શરું કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ વાહાન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ...
મોરબી તાલુકાના જેતપર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે વણકર વાસમાં રહેતા મયુર ધનજીભાઈ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવકે પોતાના ઘરે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ...