લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે ત્યારે મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિતે નિશુલ્ક ચકલીઘરનું વિતરણ કરવામાં આવશે
મોરબીના લક્કી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસ નિમિતે તા ૨૦ માર્ચના રોજ સવારે ૯ થી ૧૨ કલાક સુધી મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠે મોરબી ખાતે વિનામુલીયે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવશે જે સેવાકાર્યને સફળ બનાવવા લક્કી ગ્રુપના મોહિતભાઈ ઘોડાસરા, ગજેન્દ્રભાઈ રાઠોડ, જયપાલ જાદવ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે
