મોરબી: “રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખીલાવતી વર્ષાઋતુ” એક માનવીની રકતની જરૂરિયાત બીજો માનવી જ પુરી પાડી શકે વિશ્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવ રકત છે. પ્રત્યેક શરીરમાં ધબકતું રકત તો એક સહિયારી મૂડી છે. આ મૂડી નો સદ્ઉપયોગ એટલે સ્વૈચ્છિક રકતદાન.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ યુનીક સ્કુલ, ઉમા ટાઉનશિપ ખાતે તા.૦૧-૦૧- ૨૦૨૩ ને રવીવાર ના રોજ સવારે ૦૯-૦૦ થી ૦૧-૦૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પનું આયોજન ઉમા ટાઉનશિપ પરિવાર મોરબી અને વરમોરા ગ્રુપ મોરબીના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સૌજન્ય સંસ્કાર બ્લડ બેંક મોરબી તથા સીવીલ હોસ્પિટલ મોરબી.
રક્તદાન કેમ્પ અંગે વિશેષ માહિતીની જરૂર હોય તો રતીભાઈ ભાલોડિયા મો: ૯૯૭૮૯, ૨૦૧૮૭ તથા મનુભાઈ જાકાસણીયા મોં: ૯૭૩૭૨ ૧૩૦૦૦ પર સંપર્ક સાધવો.
મોરબી: મોરબીની કબીર ટેકરી શેરી નં -૦૮ પાસેથી જાહેરમાં વિદેશી દારૂના બે ચપલિ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીની કબીર ટેકરી શેરી નં -૦૮મા રહેતા આરોપી અસગરભાઈ અબ્દુલભાઈ ચાનીયા (ઉ.વ.૪૮) પાસેથી વિદેશી...
"ગરીબોની આર્થિક ઉન્નતિ માટે સરકાર દ્વારા ક્રાંતિકારી પગલાંઓ લેવાયા છે"- જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી
"છેવાડાના તમામ લોકોને માટે મુખ્ય ધારા સાથે સાંકળવા તથા તેમના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ"- રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા
મોરબીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા...