મોરબી શહેરમાં અબોલ પશુઓ પ્રત્યે કરુણા દાખવી 4 વર્ષથી કાર્યરત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના ઉમિયા સર્કલ શનાળા રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પલેક્ષ દુકાન નં. ૪માં શુભારંભ કરવામાં આવ્યો છે.
હવે મોરબીના જીવદયાપ્રેમીઓને પોતાના પશુ-પક્ષીઓને એકદમ રાહતદરે સારવાર આપવામાં આવશે. કર્તવ્ય પેટ ક્લિનિકમાં કોઈપણ બિમાર પ્રાણીઓની સારવાર નહિ નફા નુકશાનના ધોરણે સારવાર પુરી પાડવામાં આવશે. ક્લિનિક થકી પશુઓમાં ચોક્કસ નિદાન માટે લેબોરેટરીમાં પણ ૫૦%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમજ વેક્સીનેસન તથા દવાઓમાં ૧૫ થી ૨૦% સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે.
કર્તવ્ય પેટ ક્લિનિકમાં બિનવારસી અને માલિક વગરના પશુ-પક્ષીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. પશુ-પક્ષીઓની રાહતદરે સારવાર માટે લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોએ અનુરોધ કર્યો છે. તેમજ વધુ માહિતી માટે 7574885747 સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.
હળવદ નગરપાલિકાના સેવા સેતુમાં વહીવટી તંત્ર દ્વારા અરજદારોની ૧૦૮૫ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો
મોરબીમાં જિલ્લા વ્યાપી સેવા સેતુ કાર્યક્રમના અનુસંધાને હળવદ ખાતે હળવદ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ વોર્ડના નાગરિકોએ સરકારના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવ્યો હતો.
ગત ૨૧ સપ્ટેમ્બર ના રોજ...
વાંકાનેરમાં સેવા સેતુ સેવા યજ્ઞ બન્યો; અરજદારોની ૬૮૦ અરજીનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરાયો
મોરબી જિલ્લામાં આજરોજ વાંકનેર ખાતે નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અરજદારોની ૬૮૦ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હાલ સમગ્ર રાજ્યમાં સેવા સેતુના વિવિધ...
મોરબી: જાગૃત નાગરિક નો 181 પર કોલ આવતાની સાથે મોરબી 181 ટીમ બાળકી ની મદદ માટે રવાના થયેલ જેમાં સ્થળ પર પહોંચી જાગૃત નાગરિકનું કાઉન્સિલિંગ કરેલ જેમાં તેમણે જણાવેલ આ બાળકી અંદાજિત 3-4 કલાક થયા અહીં દુકાન પાસે બેસેલ છે તેનું નામ કે પપ્પાનું નામ બાળકી કહેતી નથી અને...